જવાની – કેફિયત – 4
જો કોઈ પથ્થરો ઉપર ફૂલ ઉગાડવાની વાત કરતું હોય, આગને રાખ કરવાની વાત કરતું હોય કે પછી એક જ ઘૂંટડે જિંદગી જીવવાની વાત કરતું હોય તો સમજવું કે એ જીવનની બહુ જ મહામૂલી એવી જવાની જીવી રહ્યો છે. જવાની જીવવાની જેટલી મજા છે એટલી જ મદમસ્તીથી ગઝલકારોએ એમના શેરમાં જવાની કહો કે યુવાનીને રંગીનાતાથી શણગારી છે. ભાગ્યેજ કોઈ શાયર એવો હશે કે, જેણે આ રંગીન શબ્દલેખ એમની કોઈ પણ જીવન અવસ્થામાં થયેલ કાવ્ય લેખનમાં ન કરેલ હોય.
મન પતંગિયું ઉડ ઉડ કરવા લાગે, મન મોરલો આંબે આવ્યા મોર જેમ મહેકવા લાગે તો સમજવું જવાની ફૂંટી. જવાની કહો કે યુવાની એ એક માનસિક વૃતિ કે અવસ્થા છે જેને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી.જે સમયનો સદુપયોગ કરી જાણે, જિંદગીની હરએક પણ મોજથી માણી જાણે ટૂંકમાં ઉત્સાહનો પર્યાયવાચી એટલે યુવાની.. જવાની. ભલે ને ઈતિહાસ ભણવામાં આળસુ હોય, પણ ઈતિહાસ રચી જાણે એવો ઉત્સાહ, કૌશલ, કુશળતા હોય તે જ સાચી જવાની.
જિવી જવાની મજા પણ કંઇ ઔર હોય છે
મિજાજ જવાન હોય ને વયની લેણ બંધ હોય
_નરેશ ડોડીયા
જવાની શબ્દનાં ઉપયોગથી ઘણી બધી શેર અને ગઝલો વર્ષો વીત્યા પછી પણ યુવાન ન રહ્યા છે. કોઈપણ ઉંમરે કવિ જવાની શબ્દ પર ગઝલ કે પંક્તિ લખે ત્યારે સાચેસાચ એ જવાન થઇ જાય છે. વાસ્તવમાં જવાનીને કોઈ ઉંમર નથી, એ તો એક માત્ર વિચાર છે, ખુમારી છે. ગઝલોનાં બેતાજ બાદશાહ, શબ્દે શબ્દે અમૃત રેડીને લોકોને એમનાં ગઝલથી ઘાયલ કરનાર અમૃત “ઘાયલ”. કોઈ કવિએ કુદરતનાં નિયમોને ઊંધા કરી નાખ્યાં હોય તો એ આ એક જ કવિ છે. જો મનોબળ છે, આત્મ વિશ્વાસ છે, ભારોભાર સંવેદના છે અને લખું ત્યાં સુધી જવાન છું એવું દર્શાવતો એમનો એક શેર…
મને પૂછી રહ્યા છે, હું કરું છું શેખ શાની પર?
મહોબ્બત પર, મનોબળ પર, નજર પર, નવજવાની પર,
જો ઊર્મીઓ જીવિત છે તો જગત પણ એક દી’ જોશે,
બુઢાપામાં જીવનને લાવીશું પાછું જવાની પર.
_અમૃત “ઘાયલ”
એવીજ એક ખુમારીભર્યો શેર અને જવાનીને માત આપવાને અમર થવાની વાત ગઝલકાર શૂન્ય પાલનપૂરી કહે છે કે,
કવનરૂપી જડીબુટ્ટી અમરતાની પણ રાખું છું,
નથી પાછી જવાની એ જવાની લઈને આવ્યો છું.
_શૂન્ય પાલનપુરી
ક્યાંક જવાનીમાં નશાનાં જામ લગાવાની વાત કરે છે તો કોઈકને વહેતી જવાનીની વેદના છે. કોઈક ઘડપણને પાછું ઠેલવવાની અરજ કરે છે, તો કોઈક જવાનીની રંગીનતા હૃદયની ભીતરેથી શોધવાની વાત કરે છે. જવાન ઉંમરની રંગીનતામાં તરબોળ કરતી અને નશામાં ચકચૂર થઇને ભાન ભૂલવાની પંક્તિઓ કવિઓએ ખૂબ અનોખા અંદાઝમાં વ્યક્ત કરી છે. જ્યાં ગઝલને કોઈ રામ કે રહીમ સાથે લેવાં દેવાં નથી એને બસ જવાનીના જામની ઇન્તેજારી છે. ત્યાં એક પંક્તિ રચાય છે કે,
એક ગઝલ તારા નામની, ના રહીમની ના રામની,
મૂછોના દોરા ફૂટ્યાં અને ઋતુઓ આવી જામની,
એક ગઝલ તારા નામની..
_મૌલિક “વિચાર”
હું પણ જાણું છું કે સનમ મારી જવાની જવાની છે;
તું માને યા ન માને, એ તારા તરફ જ જવાની છે.
સમજતા સમજતા સમજાઈ જશે તને ય એક દિન;
કોઈ અમસ્તું આકર્ષણ નથી, ઇશક મારો રૂહાની છે.
મળી જશે મંજિલ ભલે હોય રાહ અતિ કઠિન નટવર;
એના ચીંધ્યે ચાલ, તારી લાગણી સાચો સુકાની છે.
_નટવર મહેતા
એવી જ કૈક જવાનીના નશામાં શબ્દે શબ્દે ભીનાશ ને વિચારોમાં જલસાના ઘોડાપુરમાં તણાતાં જવાનીના નશામાં, પ્રેમમાં ડૂબવાની વાત કરતાં આરતી પરીખ કહે છે કે,
ભારોભાર ભીનાશથી અમે ભરપૂર હતા,
જવાનીના જોશથી તમે’ય ચકચૂર હતા,
જમાનાની શે’ વિસાત કરે કોરા ધાકોર
સાગરે ભળવા બે’ય કાંઠે ઘોડાપૂર હતા. _આરતી પરીખ
તો વળી, ક્યાંક માદક જવાનીના જોશમાં રોમેરોમથી પ્રેમરંગે રંગાઈ જવાની વાત…
રોજ જવાની ચઢતી ગઈ,
સાંજ કુંવારી થંભતી ગઈ,
ઓ, ઓ, ઓ, ઓ… ઘરના દ્વારે મળતી રહી,
બસ એક ઈશારે થયો હું રંગરસીયો…
_મૌલિક “વિચાર”
પ્રેમરંગે રંગાયેલો કવિ જીવ હવે ખરેખરો મૂંઝાયો… જાયે તો જાયે કહા?!
સેજ ક્યાં સુંવાળી હતી, બળતી જવાની હતી.
જાવું ક્યાં કહેવાને વાત?
_મૌલિક “વિચાર”
ઉપરોક્ત બે પંક્તિઓમાં પ્રિયતમાના એક જ ઈશારે રંગરસિયા થઇને, પ્રિયતમાના એક માત્ર નજરનાં સ્પર્શથી કુંવારી સાંજ થંભતી લાગે છે અને રોજે રોજે જવાનીની માદકતા વધવાનો અનુભવ થાય છે તો વળી ક્યારેક આ જ કવિ હૃદયને માશુકાનાં શક અને હકની વેદનાથી કંટક ભરી સેજ પર જવાની બળવાની વેદનાની વ્યથા છે.
ઘડપણનાં ઉંબરે પહોચેલ મન જવાનીને અરજ કરે છે કે, હવે તું પાછી વળી જા, કંઈ થઇ શકે તેમ નથી. કારણ કે ઘડપણનું ઘર મારું આવી રહ્યું છે, શ્રી અવિનાશ વ્યાસની ખૂબ ભાવવાહી પંક્તિ,
કહું છું જવાનીને, પાછી વળી જા,
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે.
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ,
પણ; તન તારું સગપણ ભુલાવી રહ્યું છે.
_અવિનાશ વ્યાસ
અને એ જ ગઝલમાં બીજી એક પંક્તિમાં મહોબ્બતને જન્મોજનમનો હક છે એમ ખુમારીથી કહે છે છતાં ઘડપણની માફી માંગીને થોડો વધારે સમય જવાનીનો સ્વાદ માણવાની અરજી કરે છે.
મુહોબ્બત તો મારો હક છે જનમનો,
સાકી હતો ને રહ્યો છું સનમનો,
ઘડપણને કહું છું કે માફી દઇ દે,
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે.
_અવિનાશ વ્યાસ
સાચે જ ડુંગરાને પણ ઝૂકાવી દે અને સૂકી નદીઓને પણ ખળખળ વહેતી રોકી દે તેવો મિજાજ લોકો જવાનીમાં ધરાવે છે અને એવો જ મિજાજ ગઝલકાર સુપેરે એમના શેર ગઝલોમાં કંડારે છે.
શ્રીમદ્ રાજચંદ્ર એ કહ્યું છે, “રૂપ મેલું થાય, પણ સ્વરૂપ ક્યારેય મેલું ન થાય. ન રૂપ રહેગા ન જવાની રહેગી. ઇસ દુનિયા મેં સર્ફિ તેરી કહાની રહેગી… આજે નથી રાજા કે નથી નર્તકી. છોડ બેટા, આ કાયાની માયા. તું એવાં કર્મો કરીને જા કે ઈશ્વર પણ તારી આતુરતાપૂર્વક રાહ જોતો હોય…”
આસ્વાદ : મૌલિક “વિચાર”
શબ્દ સહાય : આરતી પરીખ
મિજાજ જવાન હોય ને વયની લેણ બંધ હોય
_નરેશ ડોડીયા
મહોબ્બત પર, મનોબળ પર, નજર પર, નવજવાની પર,
જો ઊર્મીઓ જીવિત છે તો જગત પણ એક દી’ જોશે,
બુઢાપામાં જીવનને લાવીશું પાછું જવાની પર.
_અમૃત “ઘાયલ”
નથી પાછી જવાની એ જવાની લઈને આવ્યો છું.
_શૂન્ય પાલનપુરી
મૂછોના દોરા ફૂટ્યાં અને ઋતુઓ આવી જામની,
એક ગઝલ તારા નામની..
_મૌલિક “વિચાર”
તું માને યા ન માને, એ તારા તરફ જ જવાની છે.
સમજતા સમજતા સમજાઈ જશે તને ય એક દિન;
કોઈ અમસ્તું આકર્ષણ નથી, ઇશક મારો રૂહાની છે.
મળી જશે મંજિલ ભલે હોય રાહ અતિ કઠિન નટવર;
એના ચીંધ્યે ચાલ, તારી લાગણી સાચો સુકાની છે.
_નટવર મહેતા
જવાનીના જોશથી તમે’ય ચકચૂર હતા,
જમાનાની શે’ વિસાત કરે કોરા ધાકોર
સાગરે ભળવા બે’ય કાંઠે ઘોડાપૂર હતા. _આરતી પરીખ
ઓ, ઓ, ઓ, ઓ… ઘરના દ્વારે મળતી રહી,
બસ એક ઈશારે થયો હું રંગરસીયો…
_મૌલિક “વિચાર”
જાવું ક્યાં કહેવાને વાત?
_મૌલિક “વિચાર”
કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે.
મનને ન ગમતું ઘડપણનું ડહાપણ,
પણ; તન તારું સગપણ ભુલાવી રહ્યું છે.
_અવિનાશ વ્યાસ
સાકી હતો ને રહ્યો છું સનમનો,
ઘડપણને કહું છું કે માફી દઇ દે,
મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે.
_અવિનાશ વ્યાસ
શબ્દ સહાય : આરતી પરીખ
No comments:
Post a Comment