સમયની ઘડિયાળ શું કહે છે ?
સમયની ઘડિયાળ શું કહે છે ?
ટીક .. ટીક ...ટીક ...
સમયની ઘડિયાળ કહી રહી છે ,
જુઓ આ પળ વહી રહી છે ,
પકડી લો એને સવેળા,નહી તો,
હાથમાંથી હું સરકી રહી છું .
હાથમાં બાંધેલું હું માત્ર ઘરેણું નથી,
પળો જાય છે એની યાદ અપાવું છું.
ગયેલી પળ વાપસ નહી આવે,
જે કરવા જેવા કામો છે એને,
આજે જ,અરે અત્યારે જ કરી લો ,
કાલ ઉપર ઠેલવાની ટેવ છોડો,
નહી તો કામોનો ઢગલો થઇ જશે.
એક દિવસ જાગીને જોઇશ કે,
જીવનનો છેડો આવી ગયો છે,
કરવાનાં કામો તો ઘણાં રહ્યાં છે!
આ કામ મારે કરવાનાં જ હતાં!,
પણ એ કરવા માટે આજે હવે,
સમય ક્યાં બાકી રહી ગયો છે ?
માટે, હે પામર માનવો,
આ જીવનનો નથી ભરોંસો ,
પાણી જેમ હર પળ વહી રહી છે,
પકડી લો એને હાથમાં સમયસર,
કરી સર્વોત્તમ ઉપયોગ એનો સવેળા ,
જીવન તમારું પૂર્ણ થાય એ પહેલાં ,
જગમાં આવ્યાનો ફેરો સફળ બનાવો.
વિનોદ પટેલ
No comments:
Post a Comment