વાંચન જ જીવન ને ભવ્ય બનાવે છે
“મૌન” મન મા જ મંદિર ની સફર કરાવે છે
“ધ્યાન” ઘર ને ઘર બનાવે છે
પણ “વાંચન” સમાજ નુ ઋણ ચૂકવે છે
“વાંચન” જ મને વિશ્વાસુ બનાવે છે
“વાંચન” જ મને મારા નામ ની ઓળખ અપાવે છે
હૃદય સુવાળુ ને વિચાર નમ્ર બનાવે છે
“વાંચન” જ જીવન ને ભવ્ય બનાવે છે
જીવન ના મૂલ્યો ને જો ખરેખર સમજવા ની તક મળી હોય તો વાંચન થી જ. હુ લખવા માટે નથી લખતો પણ અનુભવુ છુ ઍટલે લખુ છુ.
કોઈક જગ્યા ઉપર મારા વાંચવા મા આવ્યુ હતુ કે લેખક પ્રામાણિક હોય. હુ લેખક તો ના કહી શકુ મારી જાત ને પણ વાંચક જરૂર છુ. ઍટલે આજે અનુભવુ છુ ઍટલે કહુ છુ કે વાંચક પણ પ્રામાણિક હોય છે.
કોઈક જગ્યા ઉપર મારા વાંચવા મા આવ્યુ હતુ કે લેખક પ્રામાણિક હોય. હુ લેખક તો ના કહી શકુ મારી જાત ને પણ વાંચક જરૂર છુ. ઍટલે આજે અનુભવુ છુ ઍટલે કહુ છુ કે વાંચક પણ પ્રામાણિક હોય છે.
જીવન મા જો ચોરવા મળે તો હુ વાંચવા માટે સમય ચોરવા નુ પહેલા પસંદ કરીશ. ભગવાન જો વરદાન આપે તો ઍમની પાસે દિવસ ના ૨૪ ની જગ્યા ઍ ૨૬ કલાક માંગુ! ઍ વધારા ના ૨ કલાક વાંચન માટે.
ભગવાને જેટલુ આપ્યુ છે ઍના કરતા ઘણી ચીજ નથી આપી ઍનો વધારે આનંદ છે. જેવી કે ઈર્ષા, વેર ઝેર, અદેખાઈ વગેરે…
ભગવાને જેટલુ આપ્યુ છે ઍના કરતા ઘણી ચીજ નથી આપી ઍનો વધારે આનંદ છે. જેવી કે ઈર્ષા, વેર ઝેર, અદેખાઈ વગેરે…
વાંચન થી હુ ભાષા તો શીખ્યો સાથે સારૂ વિચારતા પણ શીખ્યો. ઘણુ ઋણ ચૂકવવા નુ છે મારે આ ધરતી માતા નુ, માતૃભાષા નુ.
આજ ના આ world book day ઉપર મારી સમજ લખવા નો પ્રયત્ન કરુ છુ.
આજ ના આ world book day ઉપર મારી સમજ લખવા નો પ્રયત્ન કરુ છુ.
No comments:
Post a Comment