સમય બદલાય છે એની સાથે સામાજિક સંબંધોનાં સમીકરણો પણ બદલાતાં રહે છે. એક જ કુટુંબમાં સાથે રહેતા સભ્યોની સમજ અને વર્તાવમાં ફેરફાર થયેલો જણાય છે.ઘણા વડીલોને સંતાનોની બદલાયેલી વર્તણુકથી સંતોષ નથી અને તેઓ એક યા બીજી રીતે એમના મનનો ઉભરો કાઢતા હોય છે.આમાં વાંક કોનો એ વિષે બન્ને પક્ષે પોત પોતાના વિચારો હોય છે.
આવા એક વડીલની કથા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે ઈ-મેલમાં મોકલી હતી એમાં રહેલો સંદેશ મને ગમી ગયો.વાચકોને પણ આ બોધ કથા વાંચવી ગમશે.
આ બોધકથા પછી મળવા જેવા માણસની મિત્ર પરિચય શ્રેણીથી જાણીતા મારા ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા નિવાસી મિત્ર,શ્રી પી.કે.દાવડાજી એ એમના ઈ-મેલમાં વડીલોને સ્પર્શતી બે સત્ય કથાઓ વાંચવા મોકલી હતી એ મૂકી છે. આ બે સત્ય પ્રસંગો પણ વાંચવા જેવા છે.
આ પોસ્ટમાં પ્રસ્તુત વડીલો વિશેની વાતો વાંચીને વાંચકોને એમના મંતવ્યો જો હોય તો પ્રતિભાવ પેટીમાં જણાવવા વિનંતી છે.
વિનોદ પટેલ
=========================
સાભાર- શ્રી મહેન્દ્ર ઠાકર - એમના ઈ-મેલમાંથી
એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો.પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી.
એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, "બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના બાળક જેવા જ સમજે છે કે શું ? "
વડીલે દિકરાની પીઠ પર હાથ મુકીને કહ્યુ, "બેટા, વાત તો તારી બિલકુલ સાચી છે.તમે હવે બાળક નથી અને એટલે જ હું તમને દરેક વાતમાં ટોકતો પણ નથી. તમારી રીતે જ જીવન જીવવાની મેં સ્વતંત્રતા આપી છે પરંતું મને જ્યાં એવું લાગે છે કે તમારા કોઇ પગલાથી મારો આ હર્યો ભર્યો પરિવાર પીંખાઇ જશે ત્યાં હું ચોક્કસ પણ થોડી દખલગીરી કરુ છુ, કારણકે પરિવારને એક રાખવો એ મારી વડીલ તરીકેની મારી ફરજ છે."
દિકરાના હાવભાવ પરથી પિતાજીને પણ એ સમજાઈ ગયું કે દિકરાને પિતાની આ વાત ગળે નથી ઉતરી. દિકરો એના ટેબલ પર બેસીને કંઇક લખી રહ્યો હતો.ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા. આ કાગળ હવામાં ઉડી ન જાય એટલે એને ટાંચણી મારીને રાખેલા હતા. વડીલે હળવેકથી ટાંચણી કાઢી લીધી એટલે બધા કાગળ વેર વિખેર થઇ ગયા.
દિકરાએ ઉભા થઇને બધા કાગળ ભેગા કર્યા. પિતાજીની આવી હરકત બદલ દીકરાને પિતાજી પર ખુબ ગુસ્સો આવ્યો.એમનાથી ના રહેવાયુ એટલે એમણે વડીલને કહ્યુ:"તમે શું આ ગાંડા જેવી હરકત કરો છો ? "
વડીલે કહ્યુ, " એમાં વળી મેં શું ગાંડા જેવી હરકત કરી મેં તો કાગળમાંથી જરા ટાંચણીને દુર કરી.એ ટાંચણી બધા કાગળને કેવી વાગતી હતી એટલે મેં કાગળોને ટાંચણી વાગવાના દુ:ખમાંથી મુક્ત કરી દીધા."
દિકરાએ કહ્યુ, " બાપુજી, આ બધા કાગળ ટાંચણીને કારણે જ ભેગા રહેતા હતા.તમે ટાંચણીને દુર કરીને બધા કાગળને પણ છુટા કરી નાંખ્યા.ટાંચણી ખૂંચે છે એટલે તો બધા કાગળો ભેગા રહે છે." પિતાજીએ પોતાના દિકરા સામે જોઇને સ્મિત આપ્યુ અને પછી કહ્યુ, " બેટા, મારુ કામ પણ આ ટાંચણી જેવુ જ છે, તમને બધાને એમ લાગે છે કે હું તમને ખૂંચું છું પણ મારા એ ખૂંચવાને લીધે જ તમે બધા જોડાઇને રહ્યા છો."
બોધ પાઠ ...
ઘણી વખત પરિવારના વડીલની અમૂક વાતો આપણને ખૂંચતી હોય પણ પરિવારની એકતા માટે એ જરૂરી હોય છે.
આ વાત વાંચીને મિત્ર શ્રી લક્ષ્મીકાંત ઠક્કરે એમના ઈ-મેલમાં વડીલો માટે એક સરસ સલાહ એમના ઈ-મેલમાં મોકલી હતી એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે ..
એક અનુભવી ડાહ્યા શખ્સે કહ્યું :
"પોતાનું આંગણું સાચવો...સાફ રાખો... મફતમાં નહિ કોઈ મન માંગી "તગડી" ફી આપે તો જ સલાહ -સૂચનો આપવા. બીજાની પંચાતમાં પડવાનું ટાળવું . શક્ય એટલો અન્યો પર આધાર ન રાખવો. અન્યો પાસેથી અપેક્ષાઓ છે એની જ તો રામાયણ અને મહાભારત છે ને?
જેટલા વધુ સ્વાવલંબી બની શકાય રહેવું... યથાશક્તિ મદદ કરવાની ત્રેવડ હોય તેટલી કરી શકાય ...
"જે છે તે અને બને છે તે " સ્વીકારવું..."ચુપ મરવું" વધુ બિન જરૂરી સખળ-દખળ,દખલગીરી ટાળવી , ૬૫-૭૦-૭૫ પછી" સ્વાન્ત સુખાય" જીવવું !" જીભેન્દ્રીય પર કાબૂ-કંટ્રોલ મહત્તમ રાખવા જાતને કેળવવી "
નીચે osho એ જે કહ્યું છે એ પણ વડીલો અને સૌએ યાદ રાખવા જેવું છે.
જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે તેને પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા હાંસલ કરવા જેટલો વિકાસ તમે કરી શકો -તે તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.
osho
વડિલોના વાંકે.... બે સત્ય કથાઓ ..... શ્રી.પી.કે.દાવડા
અમેરિકામાં સ્થાયી વસવાટ માટે આવ્યા પછી, મેંસંતાનોના વાંકે આહત થયેલા વડિલોની ઘણીવાતો સાંભળી હતી અને એ વિષય ઉપર કેટલાકલેખ લખ્યા હતા.
૧૯૪૦-૧૯૪૨ માં બહુ નાની વયે, બાપુજી સાથેદેશી નાટક સમાજનું નાટક વડિલોના વાંકેજોએલું.નાટકના શીર્ષક અને એમાંના એક બેગીતોની થોડી પંક્તિઓ સિવાય આજે એનાટકની અન્ય કોઈ વિગત યાદ નથી. આજે આશીર્ષકને યાદ કર્યું છે,કારણ કે આજે અમેરિકામાંઆવ્યા બાદ, મારા મિત્ર બનેલા, મારી ઉમ્મરનીઆસપાસના બે જણના જીવન વૃતાંતો યાદઆવ્યા. આજથી ૫૦-૬૦ વર્ષ પહેલા, વડિલોનીઇચ્છાને લીધે એમના જીવનના અતિ મહત્વનાહિસ્સા ઉપર કેટલી મોટી અસર થઈ,એ યાદકરીને આજનો લેખ લખવાની ઇચ્છા થઈ.સત્યઘટનાઓ ઉપર આધારિત આ બનાવોમાં મેં મારામિત્રોના સાચા નામોનો ઉલ્લેખ કર્યો નથી.
સત્ય કથા-પ્રસંગ-૧
મનહર ગુજરાતના ધનપતિ કુટુંબનો નબીરો છે.કુટુંબ એટલું તો વગદાર હતું, કે મનહરે B.Sc. (Agriculture) ની પરીક્ષા પાસ કરી કે તરત એસમયના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાનરસિકભાઈ પરીખે એને રાજ્યના Agricultural Secretary બનાવી દીધા. મનહરના પિતા એસમયે મુંબઈ શેર બઝારમાં ઘણી મોટી હસ્તીગણાતા.
એમના કુટુંબમાં એક લાંબા સમયથી ચાલીઆવતી પ્રથા હતી કે દિકરા માટેકુટુંબમાંથી કન્યા શોધવી,અને આ કામ વડિલો જકરતા.પ્રથા પ્રમાણે મનહર માટે પણએક કન્યાની પસંદગી થઈ. મનહરને એ કન્યાનુંશિક્ષણ,દેખાવ વગેરે પોતાના માટેઅયોગ્ય લાગ્યા.કુટુંબનો સીધે સીધો સામનોકરવાની કોઈ ગુંજાઈશ ન હતી. મનહરે વિચારકરી એક યોજના ઘડી કાઢી.એમણે મા-બાપનેસમજાવ્યા કે થોડા દિવસ એ લંડનમાં કાકાને ઘરેફરી આવે,પછી આ બાબતનું નક્કી કરવું,માબાપઆ વાત માની ગયા
લંડનમાં એણે યોજનાનો બીજો તબ્બકો અમલમાંમૂક્યો.કાકાને સમજાવ્યા કે અહીં સુધી આવ્યો છુંતો અમેરિકા ફરી આવું.પૈસાનો તો કોઈ સવાલ નહતો.કાકાએ બધી સગવડકરી આપી.૧૯૫૬ માંઅમેરિકા આવી, મનહરે યુનિવર્સીટીમાં એડમીશનમેળવી, M.S.અને M.B.A.નો અભ્યાસ પુરો કરી, Bank of America માં નોકરી શરૂ કરી.બધું વ્યવસ્થિત ચાલતું હતું,ત્યાં અચાનકમેલેરિયાના ઝપાટામાં આવી ગયા.Over the Counter મળતી મેલેરિયાની દવાનો વધારેપડતો ઉપયોગ કરવાથી એમની Auditory Nerveને નુકશાન થયું,અને સાંભળવામાં મુશ્કેલી થવાલાગી. અગાઉ એક બે વાર Renoમાં કેસીનોમાંજઈ આવેલા, એટલે એમણે નક્કી કર્યું કે ત્યાંએટલો બધો અવાજ હોય છે કે નોર્મલ માણસોપણ એકબીજાની વાત સાંભળી શક્તા નથી,તો હુંત્યાં નોકરી કરું તો મારી કાનની તકલીફ નહિંનડે. ત્યારબાદ ૩૯ વર્ષ સુધી એમણે Reno નાકેસીનોમાં નોકરી કરી.
સાન ફ્રાન્સીસ્કોના જાણીતા સમાજ સેવકને આવાતની જાણ થઈ. એ મનહરભાઈને સમજાવીનેReno ની નોકરી છોડાવી,પોતાની સાથે સમાજ સેવાના કામો કરવા સાનફ્રાન્સીસ્કો લઈઆવ્યા.છેલ્લા નવ વરસથી તેઓ અહીં ખૂબઆદર પામે છે. છેલ્લા આઠ નવ મહિનાથી મારાનજીકના મિત્ર થઈ ગયા છે.આજે પણ એમનેવારસામાં મળેલા મુંબઈના મરીન ડ્રાઈવ ઉપરઆવેલા ફ્લેટની કીમત ૩૦-૪૦ કરોડની હશે.
આજે એમની ઉમ્મર આસરે ૮૫ વર્ષ છે. લગ્નકર્યા વગર આયુષ્યના આટલા વરસ ગુજારીલીધા. !
સત્ય કથા-પ્રસંગ -૨
પવન એક આકર્ષક દેખાવવાળો મધ્યમવર્ગીયુવક હતો.ભણવામાં તેજસ્વી હતો,પણ બારમાધોરણમાં હતો ત્યારે જ મા-બાપે એક સામાન્યભણતર અને તદન સામાન્ય દેખાવવાળી સવિતાસાથે એનાં લગ્ન કરી નાખ્યાં.એનો કોઈ વિરોધકામમાં ન આવ્યો.સારા નશીબે એ ભણતર પુરૂંકરે,ત્યાં સુધી સવિતા એના મા-બાપ સાથે રહે,એવાતનો સ્વીકાર કરવામાં આવ્યો.
બારમા ધોરણ પછી પવનને એંજીનીઅરીંગકોલેજમા એડમીશન મળી ગયું. એદરમિયાન એનો વિનીતા નામની અતિ સુંદરછોકરીનો પરિચય થયો,અને આગળ જતાંપ્રેમમાં પરિવર્તન થયો.પવનએ વિનીતાને સાચીહકીકત જણાવી દીધી હતી.બનન્નેએ નક્કી કર્યું કેઆમાંથી કોઈ રસ્તો શોધી લઈને પછી જ આગળવધવું.
બીજો કોઈ માર્ગ ન મળતાં પવને અમેરિકામાંM.S. ના અભ્યાસ માટે અરજી કરી અને સારાનશીબે એને સ્કોલરશીપ સાથે એક યુનિવર્સીટીમાંપ્રવેશ મળી ગયો. માબાપે વિચાર્યું કે પવન જશેતો બીજા ભાઈ બહેનોને પણ જવાનોમોકો મળશે,એટલે એમણે પણ રજા આપી.
અમેરિકામાં આવીને એમણે અને વિનીતાએઘડેલી યોજનાનો અમલ કરવાનું શરૂ કર્યું.અમેરિકાની કોર્ટમાં એમણે છૂટાછેડાનોદાવો દાખલ કર્યો.કાયદા કાનુનની પ્રક્રીયાપ્રમાણે સવિતાને ટપાલ દ્વારા કોર્ટમાં પોતાનોપક્ષ રજૂ કરવાની નોટીસ મોકલવામાં આવી,જેનોનિયત સમયમાં જવાબ ન આવતાં,એક તરફીચૂકાદાથી એમને છૂટાછેડા મળી ગયા.
જો કે આવા છૂટાછેડા ભારતમાં માન્ય ન હતા.એટલે જો પવન ફરીથી લગ્ન કરે અને ભારતમાંજાય તો ગુનેગાર ગણાય. ત્યારબાદ નક્કી થયાપ્રમાણે વિનીતાને વિઝીટર વિસા ઉપર અમેરિકાબોલાવી લીધી, અને અમેરિકામાં બન્ને એ લગ્નકરી લીધા.
વર્ષો બાદ વિનીતાએ પોતાના ત્રણ બાળકો સાથેભારત જઈ,સવિતાને સમજાવીને એની સાથેસેટલમેન્ટ કરી,કોર્ટની મારફત પવનના અનેસવિતાના છૂટાછેડા કરાવ્યા.
આ બન્ને કિસ્સાઓમાં સંતાનોને જે સહન કરવુંપડ્યું એના માટે એમના વડિલો અને એજમાનાની સામાજીક પરિસ્થિતિને હુંજવાબદાર ગણું છું.
-પી. કે. દાવડા
જીવનના ત્રણ તબ્બકા
૧૭ મી માર્ચની સાંજે, કેલિફોર્નિયાના મિલપિટાસ શહેરમાં, એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં, કેલિફોર્નિયાના જાણીતા, ૯૬ વર્ષની વયના સમાજસેવક શ્રી હરિકૃષ્ણ મજમુદારે એક આશ્ચર્યજનક વાત કહીને પ્રક્ષકોને ચોંકાવી દીધા હતા. એમણે કહ્યું હતું કે માણસના જીવનના ત્રણ તબ્બકા છે. જન્મથી ૧૮ વર્ષની વય સુધી બચપણ હોય છે. ૧૯ મા વર્ષથી ૮૦ મા વર્ષ સુધી પુખ્તવય (adult) હોય છે અને ૮૦ વર્ષ પછી વૃધ્ધાવસ્થા હોય છે.
એમણે કહ્યું, અહીં અમેરિકાના ડોકટરો તમને ૧૦૦ વર્ષ પહેલા મરવા નહિં દે. એટલે તમે યોજનાબધ્ધ જીવન જીવો. વચલા તબ્બકાને ૧૯ થી ૫૦ અને ૫૧ થી ૮૦ બે ભાગમાં વહેંચી દો. આ ૫૧ થી ૮૦ વાળો તબ્બકો સૌથી વધારે ઉત્પાદક અને આનંદદાયક છે. ઘટતી જવાબદારીઓ વચ્ચે તમારી મનગમતી પ્રવૃતિઓમાં જોડાઈ જાવ, અને સમાજને ઉપયોગી થવાની સાથે તમારી જાતને પણ આનંદથી ભરી દો. પણ આના માટે એક શરત છે. તમારે નિયમિત રીતે તમારી શારીરિક તપાસ કરાવવી જોઈયે, કસરત કરવી જોઈએ અને ખોરાકમાં સંયમ વર્તવો જોઈએ.
હાજર રહેલા પ્રક્ષકોએ એમની આ તદ્દન નવીવાત ખૂબ જ આનંદ અને આશ્વર્ય સાથે વાગોળી.
-પી. કે. દાવડા
વડીલો અને સંતાનોના સંબંધોને સ્પર્શતી આ પોસ્ટ વાંચ્યા પછી વિનોદ વિહારમાં અગાઉ મુકવામાં આવેલી નીચેની બે પોસ્ટ પણ વાંચી જવા વાંચકોને વિનતી છે.
અંતે, મને ગમતું એક હિન્દી ફિલ્મનું ગીત- સ્વર કિન્નરી લતા મંગેશકર ના સ્વરમાં ...
Lyricist : Sawan Kumar, Singer : Lata Mangeshkar, Music Director : Usha Khanna, Movie : Sautan (1983)
जिंदगी प्यार का गीत है इसे हर दिल को गाना पड़ेगा जिंदगी ग़म का सागर भी है हँसके उस पार जाना पड़ेगा
जिसका जितना हो आँचल यहाँ पर उस को सौगात उतनी मिलेगी फूल जीवन में गर ना खिले तो काँटों से भी निभाना पड़ेगा
है अगर दूर मंज़िल तो क्या रास्ता भी है मुश्किल तो क्या रात तारों भरी ना मिले तो दिलका दीपक जलाना पड़ेगा
जिंदगी एक पहेली भी है सुख दुःख की सहेली भी है जिंदगी एक वचन भी तो है जिसे सबको निभाना पड़ेगा
गीतकार : सावन कुमार, गायक : लता मंगेशकर, संगीतकार : उषा खन्ना, चित्रपट : सौतन (१९८३)
Zindagi pyar ka geet hai (लता मंगेशकर)
|
No comments:
Post a Comment