સાહિત્ય અને સંગીત પ્રેમી મીરાં મહેતાને એમની પુણ્યતિથી નિમિત્તે શ્રધાંજલિ …. પી.કે.દાવડ
કેલિફોર્નિયાના Bay Area માં રહેતા ભારતીઓએબે વર્ષ પહેલાં સાહિત્ય અને સંગીતની એકઅભૂતપુર્વ પ્રેમી મહિલાને ભારે હૈયે વિદાયઆપી. નામ હતું મીરાં મહેતા.
મીરાંબહેનનો જ્ન્મ ભાવનગરમાં ૧૨મી નવેમ્બર,૧૯૪૧ ના રોજ થયેલો. પિતા બાલકૃષ્ણ ત્રિવેદીન્યાયતંત્ર સાથે જોડાયલા હતા અનેમાતા શાંન્તિલાબહેન શિક્ષણક્ષેત્ર સાથે. પિતાઆગળ જતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસબનેલા અને માતા શાળાના પ્રિન્સીપાલ.
મીરાંબહેને ભારતમાં Sociology માં M.A. કર્યાબાદ Law Collegeમાંથી LLBની ડીગ્રી મેળવેલી. Sociology ના અભ્યાસ દરમ્યાન એક સો થીવધારે વિધવાઓના જીવનનો ગહન અભ્યાસ કરીઅને એમના જીવનમાં સુધાર લાવવાનું લક્ષ્યબનાવ્યું હતું. LLB ના અભ્યાસ બાદ રીઢાગુનેગારો સાથે કામ કરી, એમને સમાજની મુખ્યધારામાં પાછા કેમ વાળવા એ દિશામાં કામ કર્યુંહતું.
૧૯૭૦માં અમેરિકા સ્થિત સિવિલ એંજીનીઅરમહેન્દ્ર મહેતા સાથે એમના લગ્ન થયાં હતાં.મીરાંબહેન લગ્ન કરી અમેરિકાના કેલિફોર્નિયારાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં આવ્યાં. ૧૯૭૧માંએમની પુત્રી કલાનો જન્મ થયો ત્યારે એમનેકદાચ કલ્પના નહિં હોય કે એમને આંગણેજીવનભર અનેક કલાઓનો ઉછેર થવાનો છે.
મીરાંબહેનના સદનશીબે મહેન્દ્રભાઈ પણ સાહિત્યઅને સંગીતના ચાહક નીકળ્યા,એટલેમીરાંબહેનના શોખ અને શક્તિ બેવડાઈ ગયાં .આમ તો મીરાંબહેનનો સાહિત્ય પ્રેમ કોલેજકાળથી વિકસિત હતો.ગુજરાતી સાહિત્યપરિષદના જ્ઞાન સત્રમાં તેઓ અચૂક હાજરરહેતાં.માત્ર ૧૯ વર્ષની ઉમરે એમણે એકનવલકથા “કલા-પ્રણય” લખી અનેઆ નવલકથાને નવોદિત લેખકોની સ્પર્ધામાંત્રીજું ઈનામ મળેલું.
કલા એક વર્ષની થઈ ત્યારે મીરાંબહેનને અહીંનાન્યાય ખાતામાં પ્રોબેશન અધિકારી તરીકે નોકરીમળી.પુત્રીનો ઉછેર અને નોકરીનીબેવડી જવાબદારીમાં સહાયરૂપ થવા,મીરાંબહેનના માતા-પિતા અમેરિકા આવ્યા,અનેત્યારબાદ અમેરિકામાં જ સ્થાયી થયા.
દસેક વર્ષ ન્યાય ખાતામાં કામ કરી મીરાંબહેનનેકંઈક વધારે કરવાની ઈચ્છા થઈ. એમણે૧૯૮૪માં California Bar ની અઘરી ગણાતીપરીક્ષા માટે અભ્યાસ કરી, એમાં સફળતામેળવી. ત્યારબાદ એમણે કેલિફોર્નિયાની કોર્ટ સમાં એડવોકેટ તરીકે પ્રેકટીસ શરૂ કરી. એમણેકુટુંબને લગતી કાનુની બાબતો, જેવી કે વીલ,ટ્રસ્ટ, પ્રોપર્ટીના વિવાદો, છૂટાછેડા અનેબાળકોના હક્કોના રક્ષણ જેવા વિષયોમાં ધ્યાનકેંદ્રિત કર્યું. એ સમયે આ વિસ્તારમાં માત્ર બે કેત્રણ સ્ત્રીઓ જ વકીલ તરીકે પ્રેકટીસ કરતી હતી.મીરાંબહેનનું ધ્યેય ખાસ કરીને સ્ત્રીઓને મદદરૂપથવાનું હતું એટલે એમણે ઘણી બહેનોને પોતાનાખર્ચે એમના હક્ક અપાવેલા.
આ સમય દરમ્યાન એમની સામાજીક પ્રવૃતિઓઉત્તરોતર વધતી રહી અને એમનું ઘર Bay Areaનું સંસ્કૃતિ ધામ બની રહ્યું. બહાર ગામથી કેભારતથી કોઈ કલાકાર આવે તો એમના ઘરેરોકાતા,એમને રહેવાની ખાવા-પીવાની સગવડઉપરાંત એમના કાર્યક્ર્મો યોજવા, એમને શહેરઅને આસપાસનાં જોવા લાયક સ્થળોએ લઈ જવામાં આ મહેતા દંપતીને આનંદનોઅનુભવ થતો.
૧૯૮૯માં મહેન્દ્રભાઈને સેક્રેમેન્ટો અને ત્યારબાદસાન ડિયેગો રહેવું પડેલું. ત્યાં પણ મીરાંબહેનનીનાની મોટી મહેફીલો સજતી, અને સાહિત્ય,સંગીત અને નૃત્ય કલા પાંગરતી. ૨૦૦૬માં Bay Area માં પાછા ફર્યા,અને ત્યારબાદ જીવનનાઅંત સુધી મીરાંબહેને પાછું વળીને જોયા વગરકલા અને સંગીતમાં ઓતપ્રોત રહ્યાં. એમનું ઘરBay Area માં આવનારા કલાકારોનું સરનામુંબની ગયું. કોઈપણ ભારતીય કલાકારને Bay Area માં પોતાની કલા ઉજાગર કરવી હોય તોમીરાંબહેનના ઘરના દરવાજા ખુલ્લા હતા.કેટલીયે વાર એમણે સાહિત્ય અને સંગીતના રસિયાઓનેપોતાને ઘરે એકઠા કરી મહેફીલો જમાવેલી,કોઈપણ જાતના ખાસ કારણ કે પ્રસંગનીઆડ વગર.
મહેતા દંપતીએ આગેવાની લઈ, ૨૦૦ થી વધારેજાહેર જનતા માટેના કાર્યક્ર્મ યોજી, વક્તાઓ,કવિઓ, નૃત્યકારો અને સંગીતકારોને પોતાનીકલા પ્રદર્શિત કરવાની સગવડ કરી આપેલી.આવા કાર્યક્રમોમાં ઉસ્તાદ અલીઅકબર ખાં,પંડિત રવિશંકર, પંડિત નિખીલ બેનર્જી, ઉસ્તાદઝાકીર હુસેન,પંડિત સ્વપ્ન ચૌધરી અને પંડિતહરિપ્રસાદ ચોરસિયા જેવી મહાન હસ્તીઓ પણસામીલ હતી. ગુજરાતી ગાયકો અનેસંગીતકારોમાં પુરૂષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારીઅને વિભા દેસાઈ, અમર ભટ્ટ અનેઅન્ય ઘણા કલાકારો સામીલ હતા.સાહિત્યકારોમાં ઉમાશંકર જોષી, મનુભાઈપંચોલી, નિરંજન ભગત અને સુરેશ દલાલ અનેબીજા અનેક લેખકો શામીલ હતા.
૫મી એપ્રીલ, ૨૦૧૪ ના રોજ મીરાંબેનનાસ્વર્ગવાસના સમાચારથી Bay Areaના કલા રસિકોમાં સોપો પડી ગયો. એમનું આતિથ્ય માણીચૂકેલા કે એમની મદદથી કલા જગતમાં પા પાપગલી માંડેલા જ નહિં, પણ સમગ્રભારતીય સમાજના લોકો સ્તબ્ધ થઈ ગયા.એમની મહેમાનગતી પામી ચૂકેલા અનેક કલાકારો અને સાહિત્ય અને સંગીતના પ્રેમીઓએ એમને ભારે હૈયે વિદાય આપી. જે હાજર ન રહી શક્યા, એવા કલાકારોએ હ્રદય પૂર્વક સંદેશા મોકલ્યા.
ઉસ્તાદ ઝાકીર હુસેન અને એમની પત્નીએન્ટોનીયાએ સંદેશામાં લખ્યું, “મારા કાર્યક્રમમાંમીરાંજીનો હસતો ચહેરો જોવાનો લહાવો હતો,હવે એની ખોટ સાલસે. હું, મારી પત્ની અનેઅમારૂં આખું કુટુંબ શોકાતૂર છે અને તમારી સાથહમદર્દી દર્શાવે છે.”
કવિ શ્રી અનિલ જોષીએ શોક સંદેશામાં જણાવ્યું, “ યાદો તો માત્ર આપણે જેને ચાહીએ છીએએમની સાથે આપણે શું હતા એ જ કહી શકે છે,પણ આપણે એકલા શું હશું, એ જાણવામાંમદદરૂપ થઈ શકે નહિં. જે આજે હૈયાત નથી,એમના પડઘા આપણા વિચારોમાં પડે છે અનેઆપણા વર્તનમાં વણાઈ જાય છે.”
શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયે લખ્યું “કલાનીદુનિયામાં મીરાંબહેનનો ફાળો ક્યારેય નહિંભૂલાય. એમનો કલાકારો, સંગીત અને સાહિત્યપ્રત્યેનો ઉત્સાહ અજોડ હતો.”
શ્રીમતી વિભા દેસાઈએ મકરંદ દવેના શબ્દોટાંકતાં લખ્યું છે,
“અમે તો જઈશું અહીંથી, પણ અમે ઉડાડ્યોગુલાલ રહેશે,
ખબર નથી શું કરી ગયા, પણ કરી ગયા તેકમાલ રહેશે.”
(૨૪) શ્રી અરવિંદ કનસલે લખ્યું છે,
“ ચંદ લોગ દુનિયા મેં યું મિલતે હૈ,
દિલમેં જગહ કર લેતે હૈ,
ઈસ જહાંસે કૂચ કરકે ભી,
દિલમેં બસર કરતે હૈ .”
હ્રદયમાંથી નીકળેલી આવી તો અનેક શ્રધ્ધાંજલીમીરાં બહેનને અર્પણ થઈ હતી.
મેં ૨૦૧૩ માં એમની સાથે માત્ર પાંચેક મીનીટવાતચીત કરી હતી, પણ એ પાંચ મીનીટમાંએમની નમ્રતા અને નિખાલસતા મને જચી ગઈહતી.
આજે મીરાંબેનની વિદાયને બે વર્ષ પૂરાં થયાં . Bay Area એની રોજીંદી પ્રવૃતિઓથી ધમધમીરહ્યું છે,પણ એ મીરાં સંસ્કૃતિની ઉણપ તોજરૂર વર્તાય છે.
-પી. કે. દાવડા
મળવા જેવા માણસ – મહેન્દ્ર મહેતા.... પી.કે.દાવડા
No comments:
Post a Comment