ઋણ સ્વીકાર…
આજથી પચીસ છવ્વીસ વર્ષ પૂર્વે મારી મનોવહીમાંથી ડાયરીમાં અવતરેલા સંવાદ સ્વરૂપને ‘સાક્ષીભાવ’માં સંપાદિત કરવાનો સંયોગ શ્રી સુરેશભાઈના આગ્રહ અને સંકલ્પ સાથે સંકળાયેલ છે. મારા અંતરમનના ‘મા’ સાથેના સંવાદમાં પ્રગટ થતી મારા ભાવવિશ્વની અનુભૂતિ એમના કવિ હૃદયમાં લાગણીઓની ભીનાશ અને કર્તવ્ય તરફની મારી કર્મઠતા રૂપે ઝીલાઈ અને ‘સાક્ષીભાવ’ પ્રગટ કરવાનો એમનો પ્રેમાગ્રહ પ્રબળ બન્યો.
પ્રસ્તાવનાનું પોત ‘એક સમયની વાત—સનાતન’ એમણે પોતે જ તૈયાર કરી, મા જગદંબાને સંબોધીને કહેવાયેલી મારી હૃદયછૂટી વાતનો સરળ અને સહેલો રસાસ્વાદ રજૂ કર્યો છે. વળી ‘સાક્ષીભાવ’ના પ્રકરણો પરનાં અવતરણ બાબતે સુરેશભાઈ ખાસી જહેમત લઈ રહ્યા હતા. આ પુસ્તક પ્રગટ થવાની વેળાએ તેમની ગેરહાજરી સાલે છે. તેમની અનંતયાત્રાની સવારે જ તેમણે મારી સાથે ફોન પર વાત કરી એક લેખ લખવા આગ્રહ કર્યો હતો અને ‘સાક્ષીભાવ’ની પ્રગતિ વિશે પણ વાત કરી હતી.
ઇમેજ દ્વારા મારા સાહિત્યસર્જનને વેગ આપવામાં સતત સધિયારો પૂરો પાડનારા વડીલ સ્વ. સુરેશભાઈ દલાલનો ઉમળકો અને ઉત્સાહ મારા માટે અણમોલ અને સદાય સ્મરણીય બની રહેશે એ લાગણી સાથે ‘સાક્ષીભાવ’ના પ્રકાશન ટાણે એમની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં એમનો ઋણ સ્વીકાર કરું છું. તથા શબ્દ સ્થપતિને શ્રદ્ધાંજલિ આપું છું.
ઇમેજ દ્વારા મારા સાહિત્યસર્જનને વેગ આપવામાં સતત સધિયારો પૂરો પાડનારા વડીલ સ્વ. સુરેશભાઈ દલાલનો ઉમળકો અને ઉત્સાહ મારા માટે અણમોલ અને સદાય સ્મરણીય બની રહેશે એ લાગણી સાથે ‘સાક્ષીભાવ’ના પ્રકાશન ટાણે એમની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં એમનો ઋણ સ્વીકાર કરું છું. તથા શબ્દ સ્થપતિને શ્રદ્ધાંજલિ આપું છું.
જો તમને આ પોસ્ટ ગમી હોય તો ‘આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે: www.e-shabda.com/blog
લીન્ક છે: www.e-shabda.com/blog
No comments:
Post a Comment