વાણીનું સામર્થ્ય …… વિનોબા ભાવે
વાણી અને પાણી સમજીને વાપરવાં જોઈએ.એ બન્નેનો બગાડ કરીએ એ ના પાલવે .વાણી એટલે કે વાચામાં અદભુત શક્તિ પડેલી હોય છે.
શ્રી
વિપુલભાઈ કલ્યાણીના જાણીતા બ્લોગ "ઓપીનીયન"માં પ્રકાશિત "વાક શક્તિ" પર
સ્વ.વિનોબા ભાવે લિખિત એક મનનીય લેખ આજની પોસ્ટમાં સાભાર પ્રસ્તુત છે.
આ લેખનો અંતિમ ફકરો આ રહ્યો ...
વાણીનું સામર્થ્ય
"વાણી
ઈશ્વર દ્વારા મનુષ્યને મળેલી એક મોટી દેણ છે. મનુષ્યના ચિંતનનું એ ફલિત છે
અને ચિંતનનું સાધન પણ એ જ છે. ચિંતન વગર વાણી નહીં અને વાણી વગર ચિંતન
નહીં અને બન્ને વગર મનુષ્ય નહીં."
"
લોકો મને છે કે તપથી શરીર ક્ષીણ થાય. પણ તે ખોટી ધારણા છે. શરીર તો ભોગથી
ક્ષીણ થાય છે. તપથી તો શરીર પુષ્ટ થાય છે. તપનું ધ્યેય શરીરને પુષ્ટ, મજબૂત
કરવાનું છે. શરીરમાં મન અને બુદ્ધિ છે. શરીર, વાણી અને મનને મજબૂત બનાવવા
માટે ગીતાએ શારીરિક, વાચિક અને માનસિક એવા ત્રિવિધ તપનો ઉલ્લેખ કર્યો છે.
તે ત્રણેય અલગ ક્રિયાઓ છે પણ આ ત્રણેયને સ્થૂળ અર્થમાં મજબૂત બનાવવાની અહીં
વાત નથી. ત્રણેયને સામર્થ્યવાન બનાવવાની અહીં વાત છે. શરીરનું સામર્થ્ય
તનના આરોગ્ય અને સ્ફુિર્તમાં છે. મનનું સામર્થ્ય તેની નિર્મળતામાં છે.
વાણીનું સામર્થ્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં અને સત્ય બોલવામાં છે. તપસ્વીની
વાણીમાંથી જે પ્રગટે તે સત્ય જ હોય. તેની વાણીમાંથી અસત્ય નીકળે જ નહીં.
સત્યનિષ્ઠા એક મહાન શક્તિ છે."- વિનોબા ભાવે
નીચેના ચિત્ર પર ક્લિક કરી "ઓપીનીયન" માં પ્રગટ આ આખો પ્રેરક લેખ વાંચી શકાશે.
વિનોબા ભાવે- જીવન પરિચય
No comments:
Post a Comment