ભવિષ્યમાં કાર પાણી/હાઇડ્રોજનથી ચાલશે!
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી સિસકારા ન ભરો! એટલિસ્ટ કારવાળાએ તો ન જ ભરવા જોઈએ. અમેરિકાના ન્યૂ યોર્કમાં કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોએ તાજેતરમાં એવી શોધ કરી છે કે જેથી તમારા મગજની કાર ફટાફટ દોડવા માંડશે. તમારી કલ્પનાનું વિશ્વ ખુલી જશે. તમને થશે કે લે આવું થાય તો કેવું સારું! ઘણી ખરી શોધ પહેલાં નાના પાયે જ થઈ હોય છે, પરંતુ એ શોધ અથવા એ વિચારના પાયા પરથી મોટી શોધો થતી હોય છે. કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોની શોધ આવી જ લાગે છે. તેમણ એવી નાની કાર બનાવી છે જે પાણીની વરાળથી ચાલે છે. ખુલ ગયા ના મુંહ!
પાણીની વરાળથી ચાલે તો તો મજા પડી જાય ને. પેટ્રોલ કે ડિઝલ કરતાં પાણી કેટલું સસ્તું. વાત સાચી છે, પણ અત્યારે આ શોધ નાની રમકડાની કાર પૂરતી જ છે અને તેમાં શું કીમિયો અજમાવાયો છે તે જોવા જેવું છે. પાણીનો સ્વભાવ હોય છે બાષ્પ બનવાનો. બાષ્પીભવનનો. હજુ ખાસ વરસાદ પડ્યો નથી, એટલે ગરમી ચાલુ જ છે અને ગરમી દૂર કરવા તમે આંગણામાં, ચોકડીમાં કે અગાશી પર પાણી છાંટતા હશો તો ખબર જ હશે કે થોડી વારમાં તો એ પાણી ગાયબ થઈ જાય છે. ઓઝગર સાહીનના નેતૃત્વમાં સંશોધકોએ આ વાતને પકડીને સંશોધન કરવાનું વિચાર્યું.
હવે આ સાહીને ગયા વર્ષે એવું સંશોધન કર્યું હતું કે માટીમાં જે બૅક્ટેરિયા રહેલા હોય છે તે બૅક્ટેરિયાના સ્પોર (એક જાતના કોષ જે ઉત્પાદન અથવા પ્રજનન માટે જવાબદાર હોય છે) ભેજવાળા વાતાવરણમાંથી ભેજ શોષી લે છે અને તેના કારણે તે ફૂલી જાય છે. પછી તેઓ હવા છોડે છે જેથી તેમનું સંકોચન થાય છે. આમ, સ્પોરના કદમાં થતા ફેરફાર પરથી ચીજોને ખેંચી કે ધકેલી શકાય ખરી. શાહીને અને તેમના સાથીઓએ એક પાતળી પ્લાસ્ટિક ટેપની બંને બાજુએ સ્પોરની લાઇન કરી. જ્યારે આ ટેપને સૂકી હવામાં ખુલ્લી રાખવામાં આવી ત્યારે સ્પોર સંકોચન પામ્યા અને તેનાથી ટેપ સ્પ્રિંગની જેમ પાછી ફરી. ભેજવાળી હવામાં ટેપનું વિસ્તરણ થયું. એક રીતે આ કૃત્રિમ સ્નાયુ જેવું થયું. વૈજ્ઞાનિકોએ તેને નામ આપ્યું કૃત્રિમ સ્નાયુ અથવા હાઇડ્રા.
આવા બારેક હાઇડ્રાનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ પ્રાથમિક પિસ્ટન એન્જિન બનાવ્યું. હાઇડ્રાને એક પ્લાસ્ટિક કેસની અંદર મૂકવામાં આવ્યા જેના પર નાનકડાં શટર હતાં. જ્યારે પાણીમાં મૂકવામાં આવતા ત્યારે ભેજના કારણે હાઇડ્રા ફૂલતા અને તેના ઉપરનાં શટર ખુલી જતાં. આના કારણે ભેજ છૂટતો અને હાઇડ્રા સંકોચાતા જેના કારણે શટર બંધ થઈ જતાં. આ ચક્ર આમને આમ ફર્યા રાખતું.
આ પદ્ધતિથી મોઇશ્ચર મિલ બનાવાઈ. મશીનમાં એક પ્લાસ્ટિકનું વ્હીલ હોય છે જે પ્લાસ્ટિકની ટેપથી આવરાયેલું હોય છે. પ્લાસ્ટિક ટેપ પર અગાઉ કહ્યું તેમ એક બાજુએ સ્પોર રાખી દેવામાં આવે છે. અડધું પૈડું સૂકી હવામાં રાખવામાં આવે છે. તેના કારણે પટ્ટી વળે છે. બીજો અડધો ભાગ ભેજવાળી હવામાં હોય છે. તેના કારણે પટ્ટી ફૂલે છે. પરિણામે પૈડું ગોળ ગોળ ફરે છે. તેનાથી એટલી શક્તિ તો મળે છે કે તે એક નાનકડી રમકડાની કારને ચલાવી શકે.
આ પદ્ધતિથી એટલી વીજળી પણ ઉત્પન્ન થઈ કે એક એલઇડી બલ્બ પ્રકાશિત થઈ શકે. આ મશીનનો ઉપયોગ નાની તરતી લાઇટને વીજળી આપવા માટે, દરિયાના તળિયે સેન્સર ચલાવવા માટે થઈ શકે છે.
આમ, આ પદ્ધતિએ ફરી વૈકલ્પિક ઈંધણનો મુદ્દો ફરી ચર્ચામાં લાવી દીધો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ તેમજ તેના પર થોડાક દેશોના કબજાના કારણે વાહનો વૈકલ્પિક ઈંધણથી ચાલે તેવા પ્રયાસો થતા આવ્યા છે. તાજેતરમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે કાર તાજી હવા પર ચાલી શકે છે. તમે પર્યાવરણવાદી હો કે ન હો, ખુશ થવા જેવી બાબત આ સમાચારમાં એ પણ હતી કે આ રીતે ચાલતી કારમાં જે ઉત્સર્જન થાય છે તે કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ જેવા પ્રદૂષણ કરતા વાયુનું નથી થતું પરંતુ પાણીનું થાય છે!
જાપાનની એક અગ્રણી કંપનીએ આ પ્રકારની કાર બનાવી પણ નાખી છે. તેમાં પેટ્રોલ કે ડિઝલ નાખવું પડતું નથી પરંતુ બ્રહ્માંડમાં સૌથી સામાન્ય એવું તત્ત્વ હાઇડ્રોજનથી તે ચાલે છે. કારની ટાંકીમાં ગેસ નાખી દો. પછી હવામાં રહેલા ઑક્સિજન સાથે હાઇડ્રોજનની રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, જેનાથી કાર ચાલે છે. પરિણામે તેમાંથી જે પાણી ઉત્પન્ન થાય છે તે કારમાંથી બહાર છૂટે છે. એમ તો બીજી અનેક ઇલેક્ટ્રિક કાર છે પરંતુ તે થોડાક કિમી જ ચાલી શકે છે. તેની ઝડપ પણ ૬૪ કિમી પ્રતિ કલાકથી વધુ હોતી નથી. પરંતુ જાપાનની આ કારની ગતિ ૧૭૮ કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. એક વાર ટાંકી ભરાવી દો એટલે તે ૪૮૨ કિમી આરામથી ચાલી શકે છે.
એવો સવાલ થઈ શકે કે આ કાર સળગી તો નહીં ઉઠે ને? ૧૯૩૭માં જર્મનીથી અમેરિકાના લેકહર્સ્ટ આવી રહેલું વિમાન હિડનબર્ગ સળગી ઉઠ્યું તેની પાછળનાં જે કારણો ચર્ચાયાં તેમાં એક કારણ એ પણ મનાતું હતું કે ટેન્કમાંથી હાઇડ્રોજન લિક થયો તેના કારણે દુર્ઘટના થઈ. ૨૦૧૩માં તપાસકારો અંતિમ તારણ પર આવ્યા કે દુર્ઘટના માટે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી જવાબદાર હતી. હાઇડ્રોજન લિક થયો અને વાદળોની ગર્જના અને વીજળીના ચમકારાના સંપર્કમાં વિમાન આવ્યું. જ્યારે મેદાન પરના ક્રુ સભ્યો લેન્ડિંગ રોપ્સ લેવા દોડ્યા ત્યારે અર્થિંગ થઈ ગયું અને તેના પરિણામે તણખા થયા.
આમ, હાઇડ્રોજનથી ચાલતી કારમાં પણ આવું કંઈ તો નહીં થાય તેવો સવાલ સ્વાભાવિક છે. આ કારમાં જોકે આવું થવાની ઓછી શક્યતા છે કારણકે તેમાં ફ્યુએલ ટેંક બુલેટપ્રૂફ હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ટાંકીમાં પેટ્રોલ હોય તો કાર ફૂંકાઈ જવાની તકો વધુ છે.
બધી રીતે અનુકૂળ લાગતી આ કારની કિંમત તેનું સૌથી મોટું નબળું પાસું છે. ૬૩,૧૦૪ પાઉન્ડ (અંદાજે રૂ. ૬૩,૫૫, ૭૭૬)માં આ કાર પડે! વળી, હાઇડ્રોજન ભરવાનાં સ્ટેશન પણ હોવા જોઈએ ને. હજુ વિશ્વમાં જ ૩૦૦થી ઓછાં સ્ટેશનો છે. જાપાનમાં અત્યારે ૧૭ સ્ટેશન છે. ૨૦૧૫ સુધીમાં નવાં ૧૯ સ્ટેશન ખુલવાની ધારણા છે. જર્મનીમાં ૧૫, અમેરિકામાં અંદાજે પાંચ, દક્ષિણ કોરિયામાં ૧૧, ડેનમાર્કમાં બે, યુકેમાં ૧૨ છે. ભારતમાં ત્રણ સ્ટેશન છે. જોકે જાપાનમાં સરકાર બહુ જાગૃત છે અને તે આવી કાર ખરીદવા માટે સબસિડી આપે છે જેના કારણે આ કાર ત્યાંના લોકોને ૧૭ હજાર પાઉન્ડમાં (અંદાજે રૂ. ૧૭ લાખ) જ પડે છે.
ભારતની સરકારે પણ પ્રદૂષણ ઘટાડવા માટે ખરેખર ચિંતિત હોય તો આ પ્રકારનાં વાહનોને ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમ હેઠળ ભારતની કાર કંપનીઓ બનાવે અને તે ગ્રાહકોને પરવડે તેવા ભાવમાં મળે તે જોવું જોઈએ.
વૈકલ્પિક ઈંધણની વાત નીકળી છે તો ૧૯૯૬નો એક કિસ્સો પણ યાદ આવે છે. એ વખતે આ કિસ્સો બહુ ચગેલો. તમિલનાડુના ૩૦ વર્ષીય રામર પિલ્લાઈ નામના ભાઈ, જે શાળામાંથી ભણતા ઉઠી ગયેલા તેમણે પાણીને ઈંધણમાં પરિવર્તિત કરવાનો દાવો કર્યો હતો. એ વખતે તેમણે વૈજ્ઞાનિકો સમક્ષ પ્રયોગ કરીને આ સાબિત કર્યું હતું અને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા હતા. તેમણે જોયું કે રામરે ઝાડનાં પાંદડાં અને છાલને પાણીમાં નાખ્યાં. તેને ૩૦ મિનિટ સુધી ઉકળવા દીધાં. તેમાં મીઠું, સાઇટ્રિક એસિડ અને અન્ય રસાયણો નાખ્યાં. તેના કારણે ટોચ પર કેરોસીન જેવું એક સ્તર ઉપસી આવ્યું. તે વખતના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી મંત્રાલયના સચિવ વાલાંગિમણ રામમૂર્તિ પણ પ્રભાવિત થઈ ગયા હતા. પિલ્લાઈના ગામવાળા તો પિલ્લાઈની દેશી પ્રયોગશાળામાં બનેલા આ ઈંધણથી જ મોટરબાઇક ચલાવતા હોવાનો દાવો થયો હતો. જોકે બાદમાં વૈજ્ઞાનિકોએ તેમની વાત સ્વીકારી નહોતી અને તે હર્બલ ફ્યુઅલના નામે ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનિક કેમિકલ્સ વેચતો હોવાના આરોપસર સીબીઆઈએ વર્ષ ૨૦૦૦માં તેની ધરપકડ પણ કરી હતી.
જોકે જે રીતે તત્કાળ પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઈલીએ નિવેદન આપ્યું હતું કે દરેક પેટ્રોલિયમ પ્રધાને ઇમ્પોર્ટ લોબી તરફથી ખતરો હોય છે, તે જોતાં એવું પણ અશક્ય નથી કે રામરની શોધને સમર્થન ન અપાયું હોય અને તેને ખોટો સાબિત કરી દેવાયો હોય.
હાઇડ્રોજનથી ચાલતા વાહનની વાત પર પાછા ફરીએ તો ભારતે સાવ નિરાશ થવા જેવું નથી. ટાટા મોટર્સ અને ઇસરોએ અનેક વર્ષોનાં સંશોધન પછી હાઇડ્રોજનથી ચાલતી ભારતની પહેલી બસ બનાવી છે. આના છેડા પણ પિલ્લાઈની જેમ તમિલનાડુ અડે છે કેમ કે આ બસનું પહેલું નિદર્શન તમિલનાડુના મહેન્દ્રગીરીમાં ૩૦ જુલાઈ ૨૦૧૩ના રોજ થયું હતું. આ જ વર્ષમાં રિનોલ્ટ-નિસાન તેમજ ડેમલરે જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં તેઓ પોસાય તેવા અને મોટી સંખ્યામાં ફ્યુએલ સેલ વિહીકલ બનાવશે. બીએમડબ્લ્યુ અને ટોયોટાએ પણ સંયુક્ત રીતે આવાં વાહનો બનાવવા જાહેરાત કરી છે.
ભારતમાં પણ ગયા મે મહિનામાં કોલકાતામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (આઈઆઈએસઇઆર) અને પૂણે સ્થિત સીએસઆઈઆરએ પણ ફોટોવોલ્ટેઇક સેલ્સમાં સૂર્યશક્તિ સંગ્રહિત કરી, કાર ચલાવી શકાય છે તેવું સંશોધન કર્યું હતું.
વૈજ્ઞાનિકોનું કામ તો હોય છે સંશોધન કરવાનું, પરંતુ તેને સફળ રીતે લોકો સુધી લાવવામાં સરકારે રસ લેવો જોઈએ જેવો જાપાનની સરકાર લઈ રહી છે. સરકાર રસ લે કે ન લે, કંપનીઓની ઉપરોક્ત જાહેરાતો જોતાં, ભારતમાં પણ એક બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલના બદલે હાઇડ્રોજન પર કાર દોડતી હોય તો નવાઈ નહીં.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની સાયન્સ પૂર્તિમાં તા.૨૦/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)
પાણીની વરાળથી ચાલે તો તો મજા પડી જાય ને. પેટ્રોલ કે ડિઝલ કરતાં પાણી કેટલું સસ્તું. વાત સાચી છે, પણ અત્યારે આ શોધ નાની રમકડાની કાર પૂરતી જ છે અને તેમાં શું કીમિયો અજમાવાયો છે તે જોવા જેવું છે. પાણીનો સ્વભાવ હોય છે બાષ્પ બનવાનો. બાષ્પીભવનનો. હજુ ખાસ વરસાદ પડ્યો નથી, એટલે ગરમી ચાલુ જ છે અને ગરમી દૂર કરવા તમે આંગણામાં, ચોકડીમાં કે અગાશી પર પાણી છાંટતા હશો તો ખબર જ હશે કે થોડી વારમાં તો એ પાણી ગાયબ થઈ જાય છે. ઓઝગર સાહીનના નેતૃત્વમાં સંશોધકોએ આ વાતને પકડીને સંશોધન કરવાનું વિચાર્યું.
હવે આ સાહીને ગયા વર્ષે એવું સંશોધન કર્યું હતું કે માટીમાં જે બૅક્ટેરિયા રહેલા હોય છે તે બૅક્ટેરિયાના સ્પોર (એક જાતના કોષ જે ઉત્પાદન અથવા પ્રજનન માટે જવાબદાર હોય છે) ભેજવાળા વાતાવરણમાંથી ભેજ શોષી લે છે અને તેના કારણે તે ફૂલી જાય છે. પછી તેઓ હવા છોડે છે જેથી તેમનું સંકોચન થાય છે. આમ, સ્પોરના કદમાં થતા ફેરફાર પરથી ચીજોને ખેંચી કે ધકેલી શકાય ખરી. શાહીને અને તેમના સાથીઓએ એક પાતળી પ્લાસ્ટિક ટેપની બંને બાજુએ સ્પોરની લાઇન કરી. જ્યારે આ ટેપને સૂકી હવામાં ખુલ્લી રાખવામાં આવી ત્યારે સ્પોર સંકોચન પામ્યા અને તેનાથી ટેપ સ્પ્રિંગની જેમ પાછી ફરી. ભેજવાળી હવામાં ટેપનું વિસ્તરણ થયું. એક રીતે આ કૃત્રિમ સ્નાયુ જેવું થયું. વૈજ્ઞાનિકોએ તેને નામ આપ્યું કૃત્રિમ સ્નાયુ અથવા હાઇડ્રા.
આવા બારેક હાઇડ્રાનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ પ્રાથમિક પિસ્ટન એન્જિન બનાવ્યું. હાઇડ્રાને એક પ્લાસ્ટિક કેસની અંદર મૂકવામાં આવ્યા જેના પર નાનકડાં શટર હતાં. જ્યારે પાણીમાં મૂકવામાં આવતા ત્યારે ભેજના કારણે હાઇડ્રા ફૂલતા અને તેના ઉપરનાં શટર ખુલી જતાં. આના કારણે ભેજ છૂટતો અને હાઇડ્રા સંકોચાતા જેના કારણે શટર બંધ થઈ જતાં. આ ચક્ર આમને આમ ફર્યા રાખતું.
આ પદ્ધતિથી મોઇશ્ચર મિલ બનાવાઈ. મશીનમાં એક પ્લાસ્ટિકનું વ્હીલ હોય છે જે પ્લાસ્ટિકની ટેપથી આવરાયેલું હોય છે. પ્લાસ્ટિક ટેપ પર અગાઉ કહ્યું તેમ એક બાજુએ સ્પોર રાખી દેવામાં આવે છે. અડધું પૈડું સૂકી હવામાં રાખવામાં આવે છે. તેના કારણે પટ્ટી વળે છે. બીજો અડધો ભાગ ભેજવાળી હવામાં હોય છે. તેના કારણે પટ્ટી ફૂલે છે. પરિણામે પૈડું ગોળ ગોળ ફરે છે. તેનાથી એટલી શક્તિ તો મળે છે કે તે એક નાનકડી રમકડાની કારને ચલાવી શકે.
આ પદ્ધતિથી એટલી વીજળી પણ ઉત્પન્ન થઈ કે એક એલઇડી બલ્બ પ્રકાશિત થઈ શકે. આ મશીનનો ઉપયોગ નાની તરતી લાઇટને વીજળી આપવા માટે, દરિયાના તળિયે સેન્સર ચલાવવા માટે થઈ શકે છે.
આમ, આ પદ્ધતિએ ફરી વૈકલ્પિક ઈંધણનો મુદ્દો ફરી ચર્ચામાં લાવી દીધો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ તેમજ તેના પર થોડાક દેશોના કબજાના કારણે વાહનો વૈકલ્પિક ઈંધણથી ચાલે તેવા પ્રયાસો થતા આવ્યા છે. તાજેતરમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે કાર તાજી હવા પર ચાલી શકે છે. તમે પર્યાવરણવાદી હો કે ન હો, ખુશ થવા જેવી બાબત આ સમાચારમાં એ પણ હતી કે આ રીતે ચાલતી કારમાં જે ઉત્સર્જન થાય છે તે કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ જેવા પ્રદૂષણ કરતા વાયુનું નથી થતું પરંતુ પાણીનું થાય છે!
જાપાનની એક અગ્રણી કંપનીએ આ પ્રકારની કાર બનાવી પણ નાખી છે. તેમાં પેટ્રોલ કે ડિઝલ નાખવું પડતું નથી પરંતુ બ્રહ્માંડમાં સૌથી સામાન્ય એવું તત્ત્વ હાઇડ્રોજનથી તે ચાલે છે. કારની ટાંકીમાં ગેસ નાખી દો. પછી હવામાં રહેલા ઑક્સિજન સાથે હાઇડ્રોજનની રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, જેનાથી કાર ચાલે છે. પરિણામે તેમાંથી જે પાણી ઉત્પન્ન થાય છે તે કારમાંથી બહાર છૂટે છે. એમ તો બીજી અનેક ઇલેક્ટ્રિક કાર છે પરંતુ તે થોડાક કિમી જ ચાલી શકે છે. તેની ઝડપ પણ ૬૪ કિમી પ્રતિ કલાકથી વધુ હોતી નથી. પરંતુ જાપાનની આ કારની ગતિ ૧૭૮ કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. એક વાર ટાંકી ભરાવી દો એટલે તે ૪૮૨ કિમી આરામથી ચાલી શકે છે.
એવો સવાલ થઈ શકે કે આ કાર સળગી તો નહીં ઉઠે ને? ૧૯૩૭માં જર્મનીથી અમેરિકાના લેકહર્સ્ટ આવી રહેલું વિમાન હિડનબર્ગ સળગી ઉઠ્યું તેની પાછળનાં જે કારણો ચર્ચાયાં તેમાં એક કારણ એ પણ મનાતું હતું કે ટેન્કમાંથી હાઇડ્રોજન લિક થયો તેના કારણે દુર્ઘટના થઈ. ૨૦૧૩માં તપાસકારો અંતિમ તારણ પર આવ્યા કે દુર્ઘટના માટે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી જવાબદાર હતી. હાઇડ્રોજન લિક થયો અને વાદળોની ગર્જના અને વીજળીના ચમકારાના સંપર્કમાં વિમાન આવ્યું. જ્યારે મેદાન પરના ક્રુ સભ્યો લેન્ડિંગ રોપ્સ લેવા દોડ્યા ત્યારે અર્થિંગ થઈ ગયું અને તેના પરિણામે તણખા થયા.
આમ, હાઇડ્રોજનથી ચાલતી કારમાં પણ આવું કંઈ તો નહીં થાય તેવો સવાલ સ્વાભાવિક છે. આ કારમાં જોકે આવું થવાની ઓછી શક્યતા છે કારણકે તેમાં ફ્યુએલ ટેંક બુલેટપ્રૂફ હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ટાંકીમાં પેટ્રોલ હોય તો કાર ફૂંકાઈ જવાની તકો વધુ છે.
બધી રીતે અનુકૂળ લાગતી આ કારની કિંમત તેનું સૌથી મોટું નબળું પાસું છે. ૬૩,૧૦૪ પાઉન્ડ (અંદાજે રૂ. ૬૩,૫૫, ૭૭૬)માં આ કાર પડે! વળી, હાઇડ્રોજન ભરવાનાં સ્ટેશન પણ હોવા જોઈએ ને. હજુ વિશ્વમાં જ ૩૦૦થી ઓછાં સ્ટેશનો છે. જાપાનમાં અત્યારે ૧૭ સ્ટેશન છે. ૨૦૧૫ સુધીમાં નવાં ૧૯ સ્ટેશન ખુલવાની ધારણા છે. જર્મનીમાં ૧૫, અમેરિકામાં અંદાજે પાંચ, દક્ષિણ કોરિયામાં ૧૧, ડેનમાર્કમાં બે, યુકેમાં ૧૨ છે. ભારતમાં ત્રણ સ્ટેશન છે. જોકે જાપાનમાં સરકાર બહુ જાગૃત છે અને તે આવી કાર ખરીદવા માટે સબસિડી આપે છે જેના કારણે આ કાર ત્યાંના લોકોને ૧૭ હજાર પાઉન્ડમાં (અંદાજે રૂ. ૧૭ લાખ) જ પડે છે.
ભારતની સરકારે પણ પ્રદૂષણ ઘટાડવા માટે ખરેખર ચિંતિત હોય તો આ પ્રકારનાં વાહનોને ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમ હેઠળ ભારતની કાર કંપનીઓ બનાવે અને તે ગ્રાહકોને પરવડે તેવા ભાવમાં મળે તે જોવું જોઈએ.
વૈકલ્પિક ઈંધણની વાત નીકળી છે તો ૧૯૯૬નો એક કિસ્સો પણ યાદ આવે છે. એ વખતે આ કિસ્સો બહુ ચગેલો. તમિલનાડુના ૩૦ વર્ષીય રામર પિલ્લાઈ નામના ભાઈ, જે શાળામાંથી ભણતા ઉઠી ગયેલા તેમણે પાણીને ઈંધણમાં પરિવર્તિત કરવાનો દાવો કર્યો હતો. એ વખતે તેમણે વૈજ્ઞાનિકો સમક્ષ પ્રયોગ કરીને આ સાબિત કર્યું હતું અને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા હતા. તેમણે જોયું કે રામરે ઝાડનાં પાંદડાં અને છાલને પાણીમાં નાખ્યાં. તેને ૩૦ મિનિટ સુધી ઉકળવા દીધાં. તેમાં મીઠું, સાઇટ્રિક એસિડ અને અન્ય રસાયણો નાખ્યાં. તેના કારણે ટોચ પર કેરોસીન જેવું એક સ્તર ઉપસી આવ્યું. તે વખતના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી મંત્રાલયના સચિવ વાલાંગિમણ રામમૂર્તિ પણ પ્રભાવિત થઈ ગયા હતા. પિલ્લાઈના ગામવાળા તો પિલ્લાઈની દેશી પ્રયોગશાળામાં બનેલા આ ઈંધણથી જ મોટરબાઇક ચલાવતા હોવાનો દાવો થયો હતો. જોકે બાદમાં વૈજ્ઞાનિકોએ તેમની વાત સ્વીકારી નહોતી અને તે હર્બલ ફ્યુઅલના નામે ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનિક કેમિકલ્સ વેચતો હોવાના આરોપસર સીબીઆઈએ વર્ષ ૨૦૦૦માં તેની ધરપકડ પણ કરી હતી.
જોકે જે રીતે તત્કાળ પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઈલીએ નિવેદન આપ્યું હતું કે દરેક પેટ્રોલિયમ પ્રધાને ઇમ્પોર્ટ લોબી તરફથી ખતરો હોય છે, તે જોતાં એવું પણ અશક્ય નથી કે રામરની શોધને સમર્થન ન અપાયું હોય અને તેને ખોટો સાબિત કરી દેવાયો હોય.
હાઇડ્રોજનથી ચાલતા વાહનની વાત પર પાછા ફરીએ તો ભારતે સાવ નિરાશ થવા જેવું નથી. ટાટા મોટર્સ અને ઇસરોએ અનેક વર્ષોનાં સંશોધન પછી હાઇડ્રોજનથી ચાલતી ભારતની પહેલી બસ બનાવી છે. આના છેડા પણ પિલ્લાઈની જેમ તમિલનાડુ અડે છે કેમ કે આ બસનું પહેલું નિદર્શન તમિલનાડુના મહેન્દ્રગીરીમાં ૩૦ જુલાઈ ૨૦૧૩ના રોજ થયું હતું. આ જ વર્ષમાં રિનોલ્ટ-નિસાન તેમજ ડેમલરે જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં તેઓ પોસાય તેવા અને મોટી સંખ્યામાં ફ્યુએલ સેલ વિહીકલ બનાવશે. બીએમડબ્લ્યુ અને ટોયોટાએ પણ સંયુક્ત રીતે આવાં વાહનો બનાવવા જાહેરાત કરી છે.
ભારતમાં પણ ગયા મે મહિનામાં કોલકાતામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (આઈઆઈએસઇઆર) અને પૂણે સ્થિત સીએસઆઈઆરએ પણ ફોટોવોલ્ટેઇક સેલ્સમાં સૂર્યશક્તિ સંગ્રહિત કરી, કાર ચલાવી શકાય છે તેવું સંશોધન કર્યું હતું.
વૈજ્ઞાનિકોનું કામ તો હોય છે સંશોધન કરવાનું, પરંતુ તેને સફળ રીતે લોકો સુધી લાવવામાં સરકારે રસ લેવો જોઈએ જેવો જાપાનની સરકાર લઈ રહી છે. સરકાર રસ લે કે ન લે, કંપનીઓની ઉપરોક્ત જાહેરાતો જોતાં, ભારતમાં પણ એક બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલના બદલે હાઇડ્રોજન પર કાર દોડતી હોય તો નવાઈ નહીં.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની સાયન્સ પૂર્તિમાં તા.૨૦/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)
No comments:
Post a Comment