પૃથ્વી પર જીવનનું મરણ નજીક વી રહ્યું આછે?
હમણાં અખબારોમાં એક સમાચાર ઝળક્યા: પૃથ્વી વિનાશના છઠ્ઠા તબક્કામાં. પૃથ્વીના વિનાશની વાતો સમયાંતરે આવતી રહે છે. ૨૦૧૨માં પણ પૃથ્વીનો નાશ થવાનો છે તેવી વાતો બહુ ચગેલી, પરંતુ તે પછી ત્રણ વર્ષ વિતી ગયાં. કંઈ થયું નહીં, તમે કહેવાના.
કંઈ થયું નહીં? ખરેખર?
તો પછી આ નેપાળમાં ભૂકંપમાં હજારો લોકો મરી ગયા, સિંધમાં ગરમીના મોજાંએ સેંકડો લોકોનો ભોગ લીધો, કાશ્મીરમાં પૂરના કારણે અનેકોનાં મોત થયાં, મલેશિયામાં પૂર આવ્યાં. અમેરિકાના લુઇઝિયાનામાં પૂર આવ્યા. કોલમ્બિયામાં ભૂસ્ખલનો થયાં. આ બધું ક્રમશ: વિનાશ નથી તો શું છે?
આ બધાનું કારણ આપણી જીવનશૈલી, આપણા વ્યવહારો અને પર્યાવરણની સાથે આપણે કરી રહેલાં ચેડાં છે અને આ બધું કંઈ અધ્યાત્મની રીતે કે ગપ્પાબાજીની રીતે નથી, પરંતુ વૈજ્ઞાનિકો આવું કહે છે. તેમણે આગાહી કરી છે કે જો આપણે બદલાઈશું નહીં તો આગામી ૩૦ વર્ષમાં વૈશ્વિક પ્રલયની સ્થિતિ સર્જાશે. તેનાં કારણો આપણે એક પછી એક જોતા જઈએ.
પહેલું કારણ. વસતિમાં કૂદકે ને ભૂસકે વધારો. સરકાર ગમે તેટલો પ્રચાર કરે પરંતુ બાળકો બે બસનો નિયમ પળાતો નથી. શિક્ષિતોમાંથી પણ ઘણા આ નિયમ પાળતા નથી, તો પછી અભણની શું વાત કરવી? ભારતની વાત નથી, અમેરિકા જેવા મહાસત્તામાં ઘણા સેલિબ્રિટી બેથી વધુ બાળકો કરી રહ્યાં છે. ભારતમાં તો હવે ધર્મવાળા જ કહેવા લાગ્યા છે કે બચ્ચે ચાર હી અચ્છે. પરિણામે વસતિ સતત વધી રહી છે. વસતિ વધે એટલે સ્વાભાવિક જ વધુ અનાજ જોઈએ. જરૂરિયાતો વધુ જોઈએ. સ્પર્ધા પણ વધે. રહેવા માટે જગ્યા પણ વધુ જોઈએ.
પરિણામે મેદાનો ઓછાં થતાં જવાનાં. વૃક્ષો ઓછાં થતાં જવાનાં. ખેતરો પણ ઓછાં થતાં જવાનાં. (ખેતરની જમીન વેચીને કરોડો રૂપિયા એકસામટા મળી જતા હોઈ ઘણા ખેડૂતો રાતોરાત કરોડપતિ થવામાં જ મજા જુએ છે અને ખેતરની જમીન વેચી રહ્યા છે.) ઔદ્યોગિકરણના લીધે પણ ખેડૂતો જમીન વેચી રહ્યા છે. આનું સીધું પરિણામ એ આવે છે કે ખેતી ઓછી થઈ રહી છે. વળી, અનાજ કરતાં રોકડિયા પાકમાં ખેડૂતોને વધુ રસ પડી રહ્યો છે. પરિણામે અનાજની તંગી થઈ રહી છે.
એક અંદાજ પ્રમાણે, ઈ. સ. ૨૦૫૦માં વિશ્વની વસતિ નવ અબજે પહોંચી જશે. અત્યારે સાત અબજે આ સ્થિતિ છે તો નવ અબજે શું થશે? એ તો ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિક પણ કહી ગયા છે કે અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડે છે. તો પછી આટલી વસતિ થશે એટલે રહેણાંક, શિક્ષણથી લઈને નોકરી સુધી બધામાં સંઘર્ષ વધવાનો જ, તે દીવા જેવી સ્પષ્ટ વાત છે.
બીજું કારણ. અનાજની તંગી. વીમા કંપની લોઇડ્સ ઑફ લંડને બ્રિટનની ઍંગ્લિયા રસ્કિન યુનિવર્સિટી પાસે એક અભ્યાસ કરાવ્યો. તે મુજબ, ગરમીનું મોજું, પાકને થતા રોગ અને અલ નીનો (ટૂંકમાં સમજીએ તો, પ્રશાંત મહાસાગર પર થતી વાતાવરણમાં બદલાવની) અસર – આ ત્રણ પરિબળોના કારણે વિશ્વભરમાં ખાવાનાં સાંસા પડવાની સંભાવના છે.
ઈ. સ. ૨૦૫૦ની વસતિને જોતાં ૨૦૦૯માં જેટલું અન્ન ઉત્પાદન હતું તેને બમણું કરવું પડે. ઘઉં, મકાઈ, સોયાબીન, અને ડાંગરના ઉત્પાદનમાં મોટો ઘટાડો થશે તેમ વૈજ્ઞાનિકોને લાગે છે. સ્વાભાવિક છે કે અછત હંમેશાં ભાવ વધારે. ડાંગરની વાત કરીએ તો તેના ભાવ ૫૦૦ ટકા વધશે તેમ મનાય છે. ભાવ વધે એટલે શું થાય? આંદોલનો થાય. ઝઘડા થાય. રોટી રમખાણો થાય. માણસનું મન અશાંત રહ્યા કરતું હોય ત્યારે આવું બધું થવું સ્વાભાવિક છે. આ બધું ક્યારે ન થાય? નૈતિકતા વધુ હોય તો. નૈતિકતા હોય તો ભાવ વધારવાના બદલે, એક સમયે દુકાળ વખતે ઘણા ઉદાર શેઠ મફત અનાજ વહેંચતા, તેવું કરે, ભલે મફત ન વહેંચે, પણ એટલિસ્ટ, ભાવ તો પ્રમાણસર જ રાખે. પરંતુ અત્યારે વિશ્વભરમાં અર્થ અને કામ તરફ જ દોટ હોય ત્યાં ધર્મ અને મોક્ષ એક તરફ જ રહી જવાના.
ત્રીજું કારણ. પર્યાવરણને પહોંચાડાતું નુકસાન. અત્યારે કેટલી બધી સજીવ પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. અમેરિકાની સ્ટેનફોર્ડ, પ્રિન્સટન અને બર્કલી યુનિવર્સિટીએ કરેલા અભ્યાસ પ્રમાણે, પૃથ્વી સામૂહિક વિનાશના છઠ્ઠા તબક્કામાં પ્રવેશી રહી છે. કરોડવાળા પ્રાણીઓ (વર્ટીબ્રેટ) સામાન્ય કરતાં ૧૧૪ ગણી ઝડપે લુપ્ત થઈ રહ્યાં છે. આવો તબક્કો ૬.૫ કરોડ વર્ષ પહેલાં આવ્યો હતો, જ્યારે ડાયનાસોર લુપ્ત થઈ ગયાં હતાં. તેના અગ્રણી અભ્યાસકાર જીરાર્દો સિબાલોસ કહે છે કે આપણી પ્રજાતિ પણ લુપ્ત થઈ જશે અને જો આ ચાલુ રહેશે તો કરોડો વર્ષ પછી પાછું જીવન શરૂ થશે.
વૈજ્ઞાનિકોએ કરોડવાળાં પ્રાણીઓના લુપ્ત થવાના ઇતિહાસનો દર તપાસ્યો. આમાં તેમને જણાયું કે વર્ષ ૧૯૦૦થી ૪૦૦થી વધુ પ્રજાતિઓ લુપ્ત થઈ છે. સાયન્સીસ એડવાન્સીસ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં આ લુપ્ત થવાનું કારણ ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણ અને જંગલોનો નાશ ગણાવાયું છે.
વળી, ઍંગ્લિયા રસ્કિન યુનિવર્સિટી તો એવું ભવિષ્ય ભાખે છે કે પૂર, દુકાળ, વનમાં આગ, ખેતીમાં જીવાતો અને રોગો આ બધું વધતું જ જવાનું છે. ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ભયંકર દુકાળ પડશે. આના કારણે અનાજની ખૂબ જ તંગી થવાની છે. ઑસ્ટ્રિલયામાં દુકાળના કારણે ઘઉંનું ઉત્પાદન ૫૦ ટકા ઘટી ગયું છે. પાણીની તંગી પણ ચિંતાનો વિષય છે. પાણીનો ધંધો કરતા માફિયાઓ આ તંગીને ઓર વણસાવવાના છે. સ્થિતિ તો એવી આવવાની છે કે, ઉપરોક્ત યુનિવર્સિટી મુજબ, ૨૦૨૫માં વિશ્વની બે તૃત્તીયાંશ વસ્તી પાણીની તંગી ભોગવતી હશે. આ બધું થાય એટલે સ્વાભાવિક જ વિરોધ પક્ષો સત્તાધારી પક્ષ સામે લોકોનો રોષ ભડકાવવાની પૂરી સ્થિતિમાં હોય અને એટલે રાજકીય અસ્થિરતાનું પ્રમાણ પણ વધવાની શક્યતા જોવાય છે.
થોડું વિજ્ઞાનની બહાર જઈએ અને આર્થિક રીતે વિચારીએ, તો ભોગવાદી જીવનશૈલી અને ઘટતી જતી બચતના લીધે અમેરિકા-યુરોપ જેવા દેશોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. ગ્રીસ તો ઘણા સમયથી આર્થિક કટોકટી અનુભવી રહ્યું છે. ભારત જેવો આધ્યાત્મિક દેશ વધુ ને વધુ ભોગવાદી બનતો જઈ રહ્યો છે. કંપનીઓ માર્કેટિંગ અને જાહેરખબરો પાછળ તોતિંગ ખર્ચા કરી રહી છે અને તેના કારણે ઉત્પાદનોના ભાવ પણ આસમાને હોય છે. લોન અને ક્રેડિટ કાર્ડ પર જીવન વધી રહ્યું છે. સામાજિક રીતે એકલતા આવી રહી છે. સ્માર્ટ ફોન અને સોશિયલ મિડિયાએ સામાજીકરણ કરવાના બદલે વધુ એકલા બનાવી દીધા છે. આ પરિસ્થિતિ લોકોના તણાવમાં ઓર વધારો કરનારી છે. પરિણામે કુટુંબના સભ્યો વચ્ચે, રસ્તા પર મુસાફરી કરતી વખતે, એક જ ઑફિસમાં કામ કરનારા લોકો વચ્ચે સંઘર્ષ અને તણાવ ચરમસીમાએ પહોંચી રહ્યો છે.
ધર્મના નામે લોકોનું નેતૃત્વ કરવા હાલી નીકળેલા કેટલાક લોકો સામાન્ય જનને શાંતિ આપવાના બદલે ભડકાવી રહ્યા છે અને સતત ભય દેખાડી રહ્યા છે. પરિણામે, સીરિયા હોય કે યમન, ઈરાક હોય કે સુદાન કે નાઈજીરિયા કે પછી પાકિસ્તાન, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, ચીન બધે જ સાંપ્રદાયિક હિંસા વધી રહી છે. યમન, સીરિયા, ઈરાક જેવા દેશમાં તો મુસ્લિમો જ સામસામે ઝઘડી રહ્યા છે. આમ, એક જ ધર્મના લોકો વચ્ચે પણ મોટા પાયે હિંસાચાર ચાલી રહ્યો છે.
નાઈજીરિયામાં હિંસાનું એક કારણ ખાદ્ય પૂરવઠાનો અભાવ પણ મનાય છે. સોમાલિયાના લોકો ચાંચિયા બનીને વિદેશોનાં જહાજોનું અપહરણ કેમ કરે છે? સોમાલિયામાં એક તો ગૃહયુદ્ધ ચાલે છે. અતિ ગરીબ દેશ પણ છે. વળી તેના દરિયા કાંઠે વિદેશી જહાજો ઝેરી કચરો નાખી જાય છે. તેના કારણે ત્યાંના માછીમારોની રોજી પડી ભાંગી છે, જેથી તેમણે સશસ્ત્ર જૂથો બનાવ્યાં છે જે જહાજોનું અપહરણ કરે છે. પાકિસ્તાન તો ભારત માટે કાયમનું શિરોદર્દ બની ગયું છે. પાકિસ્તાનમાં રાજકારણીઓ ભ્રષ્ટાચારી હોય છે, ચાહે તે લોકશાહી રીતે આવેલા હોય કે લશ્કરી રીતે. તેઓ જનતાનું ધ્યાન ભટકાવવા ભારત સામે ઝેર ઓકતા રહે છે અને ત્રાસવાદીઓને પોષતા રહે છે. હવે દેશો વચ્ચે યુદ્ધો ઘટી ગયાં છે, એટલે અમેરિકા જેવા શસ્ત્રનો ધંધો ચલાવતા દેશોને શસ્ત્રો વેચવા માટે ત્રાસવાદીઓને ઊભા કરવા પડે છે, પોષવા પડે છે, અને પછી તેઓ જ તેમનો ખાત્મો કરે છે.
આના વિકલ્પો શું? પૃથ્વી પર જીવન ટકાવી રાખવું હોય અથવા કહો કે માનવોને ટકાવી રાખવા હોય તો શું થઈ શકે? આ કૉલમ વિજ્ઞાનની છે અને આપણે બધી વાત વિજ્ઞાનના આધારે જ કરવાના છીએ એટલે આ વિકલ્પો પણ વૈજ્ઞાનિક રીતે આપવાના છીએ. એક તો, પૃથ્વી પર જીવન ટકાવી રાખવું હશે તો પર્યાવરણ બચાવવું પડશે, ખેતીને ટકાવી રાખવી પડશે, અનાજ ઉત્પાદનને રોકડિયા પાકની જેમ વધુ વળતર આપતા પાક બનાવવા પડશે. પ્રદૂષણ ઘટાડવા માટે સખ્ત ઉપાયો અજમાવવા પડશે. નહીં તો એ સમય પણ દૂર નથી કે જેમ પાણી ગલી ગલીએ પડીકે વેચાય છે તેમ ઑક્સિજન પણ ગલી ગલીએ બોટલમાં વેચાતો લેવો પડે.
એક સુદૂરનો ઉપાય છે અને તે એ કે ચંદ્ર કે મંગળ જેવા ગ્રહ પર જીવન શક્ય બને. આ અંગેની સંભાવનાઓ તો સમયે-સમયે બહાર આવતી જ રહી છે, પરંતુ ખોંખારીને હજુ કહી શકાય એવું નથી. પણ હા, અત્યારથી ચંદ્ર, મંગળ અને શુક્ર પરનાં પ્લોટ વેચાવા લાગ્યા છે! કેટલાક લેભાગુ લોકો આ કામ કરી રહ્યા છે અને આ અંગે સંયુક્ત રાષ્ટ્રોએ સમજૂતી કરી છે કે બહારના ગ્રહ પર કોઈ રાષ્ટ્રનો અધિકાર નથી એટલે આ તત્ત્વોને છૂટો દોર મળી ગયો છે. પરંતુ માનો કે, બહારના ગ્રહ પર રહેવું શક્ય છે તેમ ખબર પડશે પછી ત્યાં જવા માટે પણ એ જ સ્પર્ધા થવાની જે અહીં પૃથ્વી પર થાય છે, કેમ કે ત્યાં જનારા તો પૃથ્વીના જ લોકો હોવાના ને. પરંતુ ત્યાં રહી શકાય છે કે નહીં, રહી શકાય તો કેટલા લોકો રહી શકે, કેટલો સમય રહી શકે આ બધું હજુ ભવિષ્યના ગર્ભમાં છે. એટલે આપણી પાસે બે જ વાતો હાથમાં છે – પર્યાવરણ અને ખેતીને બચાવો. સૌરાષ્ટ્રમાં જેમ સાચવીને પાણીને વપરાય છે તેમ વાપરો.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શનિવારની સાયન્સ પૂર્તિમાં તા.૨૭/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)
કંઈ થયું નહીં? ખરેખર?
તો પછી આ નેપાળમાં ભૂકંપમાં હજારો લોકો મરી ગયા, સિંધમાં ગરમીના મોજાંએ સેંકડો લોકોનો ભોગ લીધો, કાશ્મીરમાં પૂરના કારણે અનેકોનાં મોત થયાં, મલેશિયામાં પૂર આવ્યાં. અમેરિકાના લુઇઝિયાનામાં પૂર આવ્યા. કોલમ્બિયામાં ભૂસ્ખલનો થયાં. આ બધું ક્રમશ: વિનાશ નથી તો શું છે?
આ બધાનું કારણ આપણી જીવનશૈલી, આપણા વ્યવહારો અને પર્યાવરણની સાથે આપણે કરી રહેલાં ચેડાં છે અને આ બધું કંઈ અધ્યાત્મની રીતે કે ગપ્પાબાજીની રીતે નથી, પરંતુ વૈજ્ઞાનિકો આવું કહે છે. તેમણે આગાહી કરી છે કે જો આપણે બદલાઈશું નહીં તો આગામી ૩૦ વર્ષમાં વૈશ્વિક પ્રલયની સ્થિતિ સર્જાશે. તેનાં કારણો આપણે એક પછી એક જોતા જઈએ.
પહેલું કારણ. વસતિમાં કૂદકે ને ભૂસકે વધારો. સરકાર ગમે તેટલો પ્રચાર કરે પરંતુ બાળકો બે બસનો નિયમ પળાતો નથી. શિક્ષિતોમાંથી પણ ઘણા આ નિયમ પાળતા નથી, તો પછી અભણની શું વાત કરવી? ભારતની વાત નથી, અમેરિકા જેવા મહાસત્તામાં ઘણા સેલિબ્રિટી બેથી વધુ બાળકો કરી રહ્યાં છે. ભારતમાં તો હવે ધર્મવાળા જ કહેવા લાગ્યા છે કે બચ્ચે ચાર હી અચ્છે. પરિણામે વસતિ સતત વધી રહી છે. વસતિ વધે એટલે સ્વાભાવિક જ વધુ અનાજ જોઈએ. જરૂરિયાતો વધુ જોઈએ. સ્પર્ધા પણ વધે. રહેવા માટે જગ્યા પણ વધુ જોઈએ.
પરિણામે મેદાનો ઓછાં થતાં જવાનાં. વૃક્ષો ઓછાં થતાં જવાનાં. ખેતરો પણ ઓછાં થતાં જવાનાં. (ખેતરની જમીન વેચીને કરોડો રૂપિયા એકસામટા મળી જતા હોઈ ઘણા ખેડૂતો રાતોરાત કરોડપતિ થવામાં જ મજા જુએ છે અને ખેતરની જમીન વેચી રહ્યા છે.) ઔદ્યોગિકરણના લીધે પણ ખેડૂતો જમીન વેચી રહ્યા છે. આનું સીધું પરિણામ એ આવે છે કે ખેતી ઓછી થઈ રહી છે. વળી, અનાજ કરતાં રોકડિયા પાકમાં ખેડૂતોને વધુ રસ પડી રહ્યો છે. પરિણામે અનાજની તંગી થઈ રહી છે.
એક અંદાજ પ્રમાણે, ઈ. સ. ૨૦૫૦માં વિશ્વની વસતિ નવ અબજે પહોંચી જશે. અત્યારે સાત અબજે આ સ્થિતિ છે તો નવ અબજે શું થશે? એ તો ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિક પણ કહી ગયા છે કે અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડે છે. તો પછી આટલી વસતિ થશે એટલે રહેણાંક, શિક્ષણથી લઈને નોકરી સુધી બધામાં સંઘર્ષ વધવાનો જ, તે દીવા જેવી સ્પષ્ટ વાત છે.
બીજું કારણ. અનાજની તંગી. વીમા કંપની લોઇડ્સ ઑફ લંડને બ્રિટનની ઍંગ્લિયા રસ્કિન યુનિવર્સિટી પાસે એક અભ્યાસ કરાવ્યો. તે મુજબ, ગરમીનું મોજું, પાકને થતા રોગ અને અલ નીનો (ટૂંકમાં સમજીએ તો, પ્રશાંત મહાસાગર પર થતી વાતાવરણમાં બદલાવની) અસર – આ ત્રણ પરિબળોના કારણે વિશ્વભરમાં ખાવાનાં સાંસા પડવાની સંભાવના છે.
ઈ. સ. ૨૦૫૦ની વસતિને જોતાં ૨૦૦૯માં જેટલું અન્ન ઉત્પાદન હતું તેને બમણું કરવું પડે. ઘઉં, મકાઈ, સોયાબીન, અને ડાંગરના ઉત્પાદનમાં મોટો ઘટાડો થશે તેમ વૈજ્ઞાનિકોને લાગે છે. સ્વાભાવિક છે કે અછત હંમેશાં ભાવ વધારે. ડાંગરની વાત કરીએ તો તેના ભાવ ૫૦૦ ટકા વધશે તેમ મનાય છે. ભાવ વધે એટલે શું થાય? આંદોલનો થાય. ઝઘડા થાય. રોટી રમખાણો થાય. માણસનું મન અશાંત રહ્યા કરતું હોય ત્યારે આવું બધું થવું સ્વાભાવિક છે. આ બધું ક્યારે ન થાય? નૈતિકતા વધુ હોય તો. નૈતિકતા હોય તો ભાવ વધારવાના બદલે, એક સમયે દુકાળ વખતે ઘણા ઉદાર શેઠ મફત અનાજ વહેંચતા, તેવું કરે, ભલે મફત ન વહેંચે, પણ એટલિસ્ટ, ભાવ તો પ્રમાણસર જ રાખે. પરંતુ અત્યારે વિશ્વભરમાં અર્થ અને કામ તરફ જ દોટ હોય ત્યાં ધર્મ અને મોક્ષ એક તરફ જ રહી જવાના.
ત્રીજું કારણ. પર્યાવરણને પહોંચાડાતું નુકસાન. અત્યારે કેટલી બધી સજીવ પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. અમેરિકાની સ્ટેનફોર્ડ, પ્રિન્સટન અને બર્કલી યુનિવર્સિટીએ કરેલા અભ્યાસ પ્રમાણે, પૃથ્વી સામૂહિક વિનાશના છઠ્ઠા તબક્કામાં પ્રવેશી રહી છે. કરોડવાળા પ્રાણીઓ (વર્ટીબ્રેટ) સામાન્ય કરતાં ૧૧૪ ગણી ઝડપે લુપ્ત થઈ રહ્યાં છે. આવો તબક્કો ૬.૫ કરોડ વર્ષ પહેલાં આવ્યો હતો, જ્યારે ડાયનાસોર લુપ્ત થઈ ગયાં હતાં. તેના અગ્રણી અભ્યાસકાર જીરાર્દો સિબાલોસ કહે છે કે આપણી પ્રજાતિ પણ લુપ્ત થઈ જશે અને જો આ ચાલુ રહેશે તો કરોડો વર્ષ પછી પાછું જીવન શરૂ થશે.
વૈજ્ઞાનિકોએ કરોડવાળાં પ્રાણીઓના લુપ્ત થવાના ઇતિહાસનો દર તપાસ્યો. આમાં તેમને જણાયું કે વર્ષ ૧૯૦૦થી ૪૦૦થી વધુ પ્રજાતિઓ લુપ્ત થઈ છે. સાયન્સીસ એડવાન્સીસ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં આ લુપ્ત થવાનું કારણ ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણ અને જંગલોનો નાશ ગણાવાયું છે.
વળી, ઍંગ્લિયા રસ્કિન યુનિવર્સિટી તો એવું ભવિષ્ય ભાખે છે કે પૂર, દુકાળ, વનમાં આગ, ખેતીમાં જીવાતો અને રોગો આ બધું વધતું જ જવાનું છે. ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ભયંકર દુકાળ પડશે. આના કારણે અનાજની ખૂબ જ તંગી થવાની છે. ઑસ્ટ્રિલયામાં દુકાળના કારણે ઘઉંનું ઉત્પાદન ૫૦ ટકા ઘટી ગયું છે. પાણીની તંગી પણ ચિંતાનો વિષય છે. પાણીનો ધંધો કરતા માફિયાઓ આ તંગીને ઓર વણસાવવાના છે. સ્થિતિ તો એવી આવવાની છે કે, ઉપરોક્ત યુનિવર્સિટી મુજબ, ૨૦૨૫માં વિશ્વની બે તૃત્તીયાંશ વસ્તી પાણીની તંગી ભોગવતી હશે. આ બધું થાય એટલે સ્વાભાવિક જ વિરોધ પક્ષો સત્તાધારી પક્ષ સામે લોકોનો રોષ ભડકાવવાની પૂરી સ્થિતિમાં હોય અને એટલે રાજકીય અસ્થિરતાનું પ્રમાણ પણ વધવાની શક્યતા જોવાય છે.
થોડું વિજ્ઞાનની બહાર જઈએ અને આર્થિક રીતે વિચારીએ, તો ભોગવાદી જીવનશૈલી અને ઘટતી જતી બચતના લીધે અમેરિકા-યુરોપ જેવા દેશોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. ગ્રીસ તો ઘણા સમયથી આર્થિક કટોકટી અનુભવી રહ્યું છે. ભારત જેવો આધ્યાત્મિક દેશ વધુ ને વધુ ભોગવાદી બનતો જઈ રહ્યો છે. કંપનીઓ માર્કેટિંગ અને જાહેરખબરો પાછળ તોતિંગ ખર્ચા કરી રહી છે અને તેના કારણે ઉત્પાદનોના ભાવ પણ આસમાને હોય છે. લોન અને ક્રેડિટ કાર્ડ પર જીવન વધી રહ્યું છે. સામાજિક રીતે એકલતા આવી રહી છે. સ્માર્ટ ફોન અને સોશિયલ મિડિયાએ સામાજીકરણ કરવાના બદલે વધુ એકલા બનાવી દીધા છે. આ પરિસ્થિતિ લોકોના તણાવમાં ઓર વધારો કરનારી છે. પરિણામે કુટુંબના સભ્યો વચ્ચે, રસ્તા પર મુસાફરી કરતી વખતે, એક જ ઑફિસમાં કામ કરનારા લોકો વચ્ચે સંઘર્ષ અને તણાવ ચરમસીમાએ પહોંચી રહ્યો છે.
ધર્મના નામે લોકોનું નેતૃત્વ કરવા હાલી નીકળેલા કેટલાક લોકો સામાન્ય જનને શાંતિ આપવાના બદલે ભડકાવી રહ્યા છે અને સતત ભય દેખાડી રહ્યા છે. પરિણામે, સીરિયા હોય કે યમન, ઈરાક હોય કે સુદાન કે નાઈજીરિયા કે પછી પાકિસ્તાન, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, ચીન બધે જ સાંપ્રદાયિક હિંસા વધી રહી છે. યમન, સીરિયા, ઈરાક જેવા દેશમાં તો મુસ્લિમો જ સામસામે ઝઘડી રહ્યા છે. આમ, એક જ ધર્મના લોકો વચ્ચે પણ મોટા પાયે હિંસાચાર ચાલી રહ્યો છે.
નાઈજીરિયામાં હિંસાનું એક કારણ ખાદ્ય પૂરવઠાનો અભાવ પણ મનાય છે. સોમાલિયાના લોકો ચાંચિયા બનીને વિદેશોનાં જહાજોનું અપહરણ કેમ કરે છે? સોમાલિયામાં એક તો ગૃહયુદ્ધ ચાલે છે. અતિ ગરીબ દેશ પણ છે. વળી તેના દરિયા કાંઠે વિદેશી જહાજો ઝેરી કચરો નાખી જાય છે. તેના કારણે ત્યાંના માછીમારોની રોજી પડી ભાંગી છે, જેથી તેમણે સશસ્ત્ર જૂથો બનાવ્યાં છે જે જહાજોનું અપહરણ કરે છે. પાકિસ્તાન તો ભારત માટે કાયમનું શિરોદર્દ બની ગયું છે. પાકિસ્તાનમાં રાજકારણીઓ ભ્રષ્ટાચારી હોય છે, ચાહે તે લોકશાહી રીતે આવેલા હોય કે લશ્કરી રીતે. તેઓ જનતાનું ધ્યાન ભટકાવવા ભારત સામે ઝેર ઓકતા રહે છે અને ત્રાસવાદીઓને પોષતા રહે છે. હવે દેશો વચ્ચે યુદ્ધો ઘટી ગયાં છે, એટલે અમેરિકા જેવા શસ્ત્રનો ધંધો ચલાવતા દેશોને શસ્ત્રો વેચવા માટે ત્રાસવાદીઓને ઊભા કરવા પડે છે, પોષવા પડે છે, અને પછી તેઓ જ તેમનો ખાત્મો કરે છે.
આના વિકલ્પો શું? પૃથ્વી પર જીવન ટકાવી રાખવું હોય અથવા કહો કે માનવોને ટકાવી રાખવા હોય તો શું થઈ શકે? આ કૉલમ વિજ્ઞાનની છે અને આપણે બધી વાત વિજ્ઞાનના આધારે જ કરવાના છીએ એટલે આ વિકલ્પો પણ વૈજ્ઞાનિક રીતે આપવાના છીએ. એક તો, પૃથ્વી પર જીવન ટકાવી રાખવું હશે તો પર્યાવરણ બચાવવું પડશે, ખેતીને ટકાવી રાખવી પડશે, અનાજ ઉત્પાદનને રોકડિયા પાકની જેમ વધુ વળતર આપતા પાક બનાવવા પડશે. પ્રદૂષણ ઘટાડવા માટે સખ્ત ઉપાયો અજમાવવા પડશે. નહીં તો એ સમય પણ દૂર નથી કે જેમ પાણી ગલી ગલીએ પડીકે વેચાય છે તેમ ઑક્સિજન પણ ગલી ગલીએ બોટલમાં વેચાતો લેવો પડે.
એક સુદૂરનો ઉપાય છે અને તે એ કે ચંદ્ર કે મંગળ જેવા ગ્રહ પર જીવન શક્ય બને. આ અંગેની સંભાવનાઓ તો સમયે-સમયે બહાર આવતી જ રહી છે, પરંતુ ખોંખારીને હજુ કહી શકાય એવું નથી. પણ હા, અત્યારથી ચંદ્ર, મંગળ અને શુક્ર પરનાં પ્લોટ વેચાવા લાગ્યા છે! કેટલાક લેભાગુ લોકો આ કામ કરી રહ્યા છે અને આ અંગે સંયુક્ત રાષ્ટ્રોએ સમજૂતી કરી છે કે બહારના ગ્રહ પર કોઈ રાષ્ટ્રનો અધિકાર નથી એટલે આ તત્ત્વોને છૂટો દોર મળી ગયો છે. પરંતુ માનો કે, બહારના ગ્રહ પર રહેવું શક્ય છે તેમ ખબર પડશે પછી ત્યાં જવા માટે પણ એ જ સ્પર્ધા થવાની જે અહીં પૃથ્વી પર થાય છે, કેમ કે ત્યાં જનારા તો પૃથ્વીના જ લોકો હોવાના ને. પરંતુ ત્યાં રહી શકાય છે કે નહીં, રહી શકાય તો કેટલા લોકો રહી શકે, કેટલો સમય રહી શકે આ બધું હજુ ભવિષ્યના ગર્ભમાં છે. એટલે આપણી પાસે બે જ વાતો હાથમાં છે – પર્યાવરણ અને ખેતીને બચાવો. સૌરાષ્ટ્રમાં જેમ સાચવીને પાણીને વપરાય છે તેમ વાપરો.
(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શનિવારની સાયન્સ પૂર્તિમાં તા.૨૭/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)
No comments:
Post a Comment